Surat : વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, માનસિક તણાવમાં આવીને ભર્યું પગલું

સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા ફરી સુરત ના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું.

Surat :  વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો, માનસિક તણાવમાં આવીને ભર્યું પગલું
Surat Youth Try To Suicide
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:36 PM

સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા ફરી સુરતના મોટા વરાછા વિસ્તારમાં વ્યાજખોરીના ત્રાસનો વિડીયો સામે આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હિંમત વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું. જેમાં સુરતમા વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે.મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી 6 વર્ષ પહેલા અશોક ભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયા 4 ટકા લેખે વ્યાજે લીધા હતા.જેમાં ગેરેન્ટીમા પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. હિંમતે આક્ષેપ કર્યા હતા કે એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા સુસાઇડ નોટ લખી ફીનાઇલ ગટગટાવી લીધું હતું.

યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ સુધી વ્યાજના નાણાં ચૂકવવ સાથે સમય જતાં તેમનું મકાન અશોક ગોયાણી નામના વ્યક્તિએ પડાવી લીધું હોવાના આક્ષેપ હિંમતે કર્યા હતા. અને અશોક ગોયાણીની પત્નીના નામે મારુ મકાન છે પરંતુ તેમણે આજ સુધી મારુ ઘર જોયું નથી તેમ જણાવ્યું હતું.

સુસાઇડ નોટમાં પોલીસ પર પણ થયા આક્ષેપ

યુવકે લખેલી સુસાઈડ નોટમાં તેણે પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે કે વારંવાર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતા હતા અને મને બોલાવવામાં આવતો હતો. અને કહેવાતું કે , તું અશોક ગોયાણીને નહિ પહોંચે એટલે બધુ જવાદે આ પ્રકારના આક્ષેપો યુવકે સુસાઇડ નોટમાં કર્યા અને જે નંબર થી ફોન આવ્યા હતા તે નંબર નો ઉલ્લેખ યુવકે સુસાઇડ નોટમાં કર્યો હતો પરંતુ મહત્વનું છે કે આ સમગ્ર બાબતે તપાસ બાદ જ સાચું તથ્ય બહાર આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સરકાર વ્યાજખોરો સામે આકરા પગલાં લેવા પણ સૂચના આપી છે

હાલમાં વ્યાજખોરીના દૂષણને નાથવા માટે સરકારે કવાયત હાથ ધરી હતી અને ઊચા વ્યાજે નાણાં આપી લોકોને હેરાન પરેશાન કરતાં લોકો સામે કાર્યવાહી કરાઇ છે. જે અંતર્ગત સુરત માંથી પણ મોત પ્રમાણમાં આવા ગુનાઓ નોંધાય છે. આ તમામ ગતિવિધિઓ થોડી ધીરી પડતાં સુરતમાં ફરી આવો બનાવ સામે આવ્યો યુવકે સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધું હતું. તેને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે સુરત પોલીસ કમિશનર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જોકે હિંમતે જે પ્રકારે સુસાઇડ નોટ લખી છે તો કહી શકાય કે જો પોલીસ જ આ પ્રકારે દબાણ કરશે તો વ્યક્તિ જશે તો ક્યાં જશે. હિંમતે આ સમગ્ર બનેલી ઘટના અંગે ન્યાયની માંગ કરી. સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહ મંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી. આ મામલે પોલીસ કઈ દિશામાં તપાસ કરે તે હવે જોવું રહ્યું

આ પણ વાંચો : Gujarat માં વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 6.23 લાખ લાભાર્થીઓને રૂપિયા 1970 કરોડની લોન અપાઈ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">