AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન બંધ થતા સ્થાનિકો મૂકાયા મુશ્કેલીમાં

આદિવાસી વિસ્તાર એવા કોસંબામાં તો ખેતી સિવાય કમાણીનું કોઈ સાધન નહીં. એવામાં 62 કિમી દૂર આવેલું ઉમરપાડા યુવાનો માટે રોજગારીનો વિકલ્પ છે અને ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે અને નેરોગેજ ટ્રેન બંધ હોવાને કારણે આસરમા, મોટામિયાં માંગરોળ, કોસાડી જેવા ગામોમાં સ્ટેશનો ખંડેર હાસલતમાં છે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે માંગણી કરી છે.

Surat: ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન બંધ થતા સ્થાનિકો મૂકાયા મુશ્કેલીમાં
નેરોગેજ ટ્રેન ચાલુ રાખવા સ્થાનિકોની રજૂઆત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 3:00 PM
Share

સુરત (Surat) નજીક ઓલપાડ પાસે ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન  (Narrow gauge train) આજથી બંધ થઈ જતા આદિવાસીઓ (Trible)ને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જ્યાં માત્ર 20-25 રૂપિયાના નજીવા ખર્ચે મુસાફરી થઈ શકતી હતી, ત્યાં આજે 150થી 200 રૂપિયા ખર્ચીને મુસાફરી કરવાની નોબત આવી છે. આદિવાસી વિસ્તારના આ સ્થાનિકો કે જે ઓછા ખર્ચે આવન જાવન શક્ય બનાવતી નેરોગેજ ટ્રેનની માંગ કરી રહ્યા છે.

ગાયકવાડી રાજાએ સુરત જીલ્લાના કોસંબાથી ઉમરપાડા સુધી પછાત અને આદિવાસી વિસ્તારના લોકોને આર્થિક રીતે પરવડે તેવી આ સુવિધા ઊભી કરી હતી. સમય સાથે શહેરો ગામડાને ગળી ગયા અને આજે આ વિસ્તારના સ્થાનિકો વંચિત હોવાનો અનુભવ કરી રહ્યા છે. અહીં સવાલ રોજગારીનો આવે છે કારણ કે આ વંચિત આદિવાસી વિસ્તાર એવા કોસંબામાં તો ખેતી સિવાય કમાણીનું કોઈ સાધન નહીં. એવામાં 62 કિમી દૂર આવેલું ઉમરપાડા યુવાનો માટે રોજગારીનો વિકલ્પ છે અને ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે અને નેરોગેજ ટ્રેન બંધ હોવાને કારણે આસરમા, મોટામિયાં માંગરોળ, કોસાડી જેવા ગામોમાં સ્ટેશનો ખંડેર હાલતમાં છે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે સ્થાનિકોની સાથે  સાથે વિરોધ પક્ષ પણ માંગ કરી રહ્યો છે.

દેશનો વિકાસ બુલેટ ગતિએ થઈ રહ્યો છે પણ આ વિસ્તારમાં તે ગતિ વર્ષોથી સ્થગિત લાગી. આદિવાસી પટ્ટામાં રહેતા આ ગામના લોકો કહે છે કે અમારા માટે તો આ નેરોગેજ લાઈનને મોટી કરી દો એ જ ઘણું. ત્યારે રાજકીય ઈચ્છા શક્તિ અને અદ્યતન ટેક્નોલોજી હોવા છતાં કામ ક્યાં અટક્યું છે.

તો બીજી તરફ ગત વર્ષે દિવાળીના (Diwali) સમયમાં 110 વર્ષ જૂની બિલીમોરા વધઈ નેરોગેજ ટ્રેન (Narrow Gauge Train) પર્યટકોની પહેલી પસંદ બની હતી. પશ્ચિમ રેલવેએ 4થી સપ્ટેમ્બર 2021થી વિસ્તાડોમ એસીના એક કોચની સાથે ટ્રેનની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 20,818 જેટલા મુસાફરોએ સફર કરી હતી અને રેલવેને તેનાથી 1.83 લાખની આવક થઈ  હતી.

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">