Surat : તહેવારો ટાણે જ મીઠાઈના ભાવમાં 40 ટકા સુધીનો વધારો, નહિવત્ ખરીદીને પગલે વેપારીઓમાં ચિંતા

તહેવારો મીઠાઈ વગર અધૂરા છે. પરંતુ તહેવારો પહેલા જ દૂધ, સુકામેવા સહિતના ભાવમાં વધારો થતા તેની અસર હવે મીઠાઈના ભાવમાં પણ જોવા મળી રહી છે. મીઠાઈના ભાવમાં વધારો થતા તહેવારો નજીક હોવા છતાં ઓર્ડર નહીં મળતા મીઠાઈ વિક્રેતાઓની ચિંતા વધી છે.

Surat :  તહેવારો ટાણે જ મીઠાઈના ભાવમાં 40 ટકા સુધીનો વધારો, નહિવત્ ખરીદીને પગલે વેપારીઓમાં ચિંતા
Surat: Sweets prices up to 40 per cent ahead of festivals
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:51 PM

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ હવે વિવિધ ધાર્મિક તહેવારોની શરૂઆત થઇ ગઈ છે. અલુણા ગૌરી વ્રત બાદ હવે રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા તહેવારો ઉજવવામાં રોનક આવશે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ મીઠાઈ વિક્રેતાઓ માટે આ વાત ખોટી સાબિત થઇ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.

તહેવારો હોય એટલે મોઢું મીઠું કર્યા વગર ચાલી શકે તેમ નથી. તેવામાં મીઠાઈ વિક્રેતાઓને પણ કોરોનાની બીજી લહેર ઓસરતાં સારા ધંધાની અપેક્ષા હતી. પરંતુ જયારે દૂધ, પેટ્રોલ,ડીઝલ, સૂકા મેવા સહિતની તમામ વસ્તુઓના ભાવમાં વધારો થતા મીઠાઈઓ પર આ ભાવવધારાની અસર જોવા મળી રહી છે. ચાલુ વર્ષે દરેક મીઠાઈના ભાવમાં 40 થી 50 રૂપિયાનો સીધો વધારો નોંધાયો છે. જેની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે.

સુરતના મીઠાઈ વિક્રેતા રોહન મીઠાઇવાળાનું કહેવું છે કે આ વખતે રક્ષાબંધનને લઈને અમે ઘણી વેરાયટીવાળી મીઠાઈઓ બજારમાં લાવ્યા છે. લોકોના સ્વાદ પ્રમાણે અમારે દર વર્ષે મીઠાઈમાં નવીનતા લાવવી પડે છે. કોરોનાના કારણે બે વર્ષથી અમારો ધંધો સારો નહોતો ચાલ્યો પણ આ વર્ષે અમને થોડી આશા છે. જેથી અમે ચારકોલ મીઠાઈ, બબલગમ ફ્લેવર વાળી મીઠાઈ બજારમાં લાવ્યા છે. પણ મોંઘવારીની અસર મીઠાઈના ભાવ પર પણ પડી છે. સૂકા મેવા, રો મટીરીયલ, દૂધના ભાવમાં જે વધારો થયો છે તેના કારણે અમારે મીઠાઈ બનાવવાનું કોસ્ટીંગ પણ વધી ગયું છે. અને નાછૂટકે અમારે મીઠાઈના ભાવમાં વધારો કરવો પડ્યો છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

દૂધ અને સુકામેવા સિવાય મીઠાઈ શક્ય નથી. જેથી અમારે મીઠાઈના ભાવમાં પણ 40 થી 50 રૂપિયાનો સીધો વધારો કરવો પડ્યો છે. જેના કારણે આ વર્ષે ખરીદી પર પણ અસર પડી છે. કોરોનાના કારણે લોકોની આર્થિક સ્થિતિ પહેલાથી નબળી થઇ છે. તેવામાં મીઠાઈ ખરીદીમાં જેવી ઘરાકી જોઈએ એવી ઘરાકી હજી જામી નથી. રક્ષાબંધનમાં આ સમયે ખરીદી શરૂ થઇ જતી હોય છે. અમારી પાસે એડવાન્સમાં પણ ઓર્ડર આવતા હોય છે પણ ચાલુ વર્ષે હજી કોઈ ખરીદી શરૂ થઇ નથી. આવનારા સમયમાં જોવાનું રહેશે કે ઘરાકી કેવી રહે છે.

આ પણ વાંચો :

Surat: સુરતના અલથાણ વિસ્તારમાં બનશે મેટ્રો ભવન, સુરત મનપા 6,542 ચો.મી. જગ્યા ફાળવશે

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">