Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી, 300થી વધુ શાળાના 1.50 લાખ બાળકો મધ્યાહન ભોજન યોજનાથી વંચિત

કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજનાની અવેજમાં રાશનની કુપનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અલગ - અલગ સમયે 23થી 68 દિવસ સુધીની કુપનોનું વિતરણ કરવામાં આવ્યું હતું

Surat : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી, 300થી વધુ શાળાના 1.50 લાખ બાળકો મધ્યાહન ભોજન યોજનાથી વંચિત
Madhyahan bhojan yojna deprived (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 9:19 AM

સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાદ ખાડે ગયેલા વહીવટનો વધુ એક ઉત્તમ નમુનો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી રાબેતા મુજબ શાળાઓ (School ) શરૂ થવા છતાં આજ દિન સુધી બાળકો મધ્યાહ્ન ભોજન યોજનાના લાભથી વંચિત રહેવા પામ્યા છે. શહેરભરના અલગ – અલગ વિસ્તારોમાં અંદાજે 300થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના 1.50 લાખથી વધુ ભુલકાઓ પ્રત્યે દાખવવામાં આવી રહેલી આ પ્રકારની ગંભીર લાપરવાહી મુદ્દે હજી સુધી સમિતિના ચેરમેન અને શાસનાધિકારી દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગત 22મી ફેબ્રુઆરીથી સુરત સહિત સમગ્ર રાજ્યમાં રાબેતા ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેને પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં આવેલી 300થી વધુ શાળાઓમાં પણ 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ બે વર્ષ બાદ ઓફલાઈન અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા હતા. છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી શાળાએ અભ્યાસ માટે આવતાં ભુલકાઓને જો કે હજી સુધી મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મળ્યો નથી.

ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના આ બાળકો સાથે દુર્લક્ષ અને ધરાર નિષ્કાળજી દાખવવામાં આવી રહી હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે. એક તરફ શાસકો કુપોષણ સામે જંગ લડવા માટે પોતાની મક્કમતાના ભરપેટ વખાણ કરતા હોય ત્યારે બીજી તરફ ખુદ આ શાસકો જ શહેરના 1.50 લાખથી વધુ ગરીબ અને શ્રમિક વર્ગના બાળકો માટે કેટલા ગંભીર છે જે ફલિત થઈ રહ્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તપાસ કરી જણાવું છુંઃ શાસનાધિકારીનો ઉડાઉ જવાબ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને જ્યારે શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના અંગે પુછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ તદ્દન ઉડાઉ જવાબ આપ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ સંદર્ભે હાલ તેઓ પાસે કોઈ જાણકારી નથી. આમ, શહેરના ગરીબ અને શ્રમિક પરિવારના ભુલકાઓ માટે શાસનાધિકારી કેટલા ગંભીર છે તે અંગે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

પાંચ મહિનાથી અનાજની કુપનનું વિતરણ પણ બંધ

કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યના બાળકો માટે મધ્યાહ્ન ભોજન યોજનાની અવેજમાં રાશનની કુપનનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત અલગ – અલગ સમયે 23થી 68 દિવસ સુધીની કુપનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, આ યોજના પણ ઓક્ટોબર મહિના બાદ અભરાઈ પર ચઢી ગઈ છે અને છેલ્લા પાંચેક મહિનાથી બાળકોને અનાજની કુપનનું વિતરણ કરવામાં ન આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બાળકોને અનાજની કુપનનું જે વિતરણ કરવામાં આવ્યું હતું તેમાં ધોરણ 1થી 5ના બાળકો માટે પ્રતિદિન 50 ગ્રામ ઘંઉ અને 50 ગ્રામ ચોખાનો સમાવેશ થતો હતો જ્યારે ધો. 6થી 8ના વિદ્યાર્થીઓ માટે 75 ગ્રામ ઘંઉ અને 75 ગ્રામ ચોખાનો સમાવેશ કરવામાં આવતો હતો. આ સિવાય આ અનાજના રાંધણ માટે પણ સમિતિની શાળાઓમાં પ્રતિ બાળક રોજના 4.95 રૂપિયાથી માંડીને 7.45 રૂપિયાની સહાય પણ કરવામાં આવી હતી.

ગરીબ વિદ્યાર્થીઓની ઉપેક્ષાઃ અસલમ સાયકલવાલા

સામાજીક અગ્રણી અને પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર અસમલ સાયકલવાલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટી તંત્ર સાથે – સાથે ચેરમેન અને સભ્યો ગરીબ બાળકો સાથે ન્યાય કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જે કુપન પેટે અનાજ મળતું હતું અને રાહત મળતી હતી તે બંધ થતાં જે પાપ થયું છે તેના ભાગીદાર ચેરમેન અને સભ્યો છે.

આ પણ વાંચો :

સુરતીઓને વધુ એક ભારણ, હવે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા માટે પણ જીએસટી ભરવા રહો તૈયાર

Surat : ગ્રીષ્મા હત્યા કેસ પર નાટક બન્યું, સુરતના નાટ્યકલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ પ્રસ્તુતી તૈયાર કરી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">