AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Richest Ganpati : સુરતના ‘સૌથી અમીર ગણપતિ’, ભવ્ય શણગાર અને લાખો રૂપિયાના આભૂષણોથી છે શોભિત, જુઓ 

સુરતમાં સ્થાપિત આ ગણેશજીને "ગુજરાતના સૌથી ધનિક ગણેશ" તરીકે ઓળખવામાં આવે છે. તેમના પર 25 કિલોથી વધુ સોના-ચાંદીના આભૂષણો શોભે છે

Surat Richest Ganpati : સુરતના ‘સૌથી અમીર ગણપતિ’, ભવ્ય શણગાર અને લાખો રૂપિયાના આભૂષણોથી છે શોભિત, જુઓ 
| Updated on: Aug 30, 2025 | 7:32 PM
Share

સુરતના મહિધરપુરા વિસ્તારના ડાલિયા શેરીમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અનોખી ભવ્યતા જોવા મળે છે. અહીં બિરાજમાન ભગવાન ગણેશને ‘ગુજરાતના સૌથી ધનિક ગણેશ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમના પર 25 કિલોથી વધુ સોના અને ચાંદીના આભૂષણો શોભે છે.

લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોથી શણગાર

દર વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ પર લાખો રૂપિયાના આભૂષણો પહેરાવવામાં આવે છે. આ આભૂષણો આખું વર્ષ તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ પ્રદર્શન અને પૂજા માટે મૂકવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાનને 6 ફૂટ લાંબા અને 1 કિલો સોના-ચાંદીના હારથી શણગારવામાં આવ્યા છે.

અનોખી મૂર્તિ અને આકર્ષક શણગાર

આ વખતે એક લાખ અમેરિકન હીરાથી જડિત પાંદડાના આકારની ચાંદીની મૂર્તિ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત, 7 કિલો ચાંદીથી બનેલું મુશકરાજ (ગણેશજીનું વાહન) ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

લાઇવ દર્શન માટે મોબાઇલ એપ

ભક્તો ઘરે બેઠા 24 કલાક ભગવાનના લાઇવ દર્શન કરી શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

આભૂષણોની કિંમત અને વિગતો

  • મુગટ: 2 કિલો સોના-ચાંદી, કિંમત લાખોમાં

  • ચાર હાથના કવર: 3 કિલો સોના-ચાંદી

  • હાથપગના કવર: 1 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.50 લાખ

  • પગના કવર: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹3.25 લાખ

  • કમરબંધ: 750 ગ્રામ, કિંમત ₹1.50 લાખ

  • કમળ: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.25 લાખ

  • કુહાડો: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.25 લાખ

  • અમેરિકન હીરા: 1.50 લાખ પીસ, કિંમત ₹2 લાખ

  • મુશકરાજ: 7 કિલો ચાંદી, કિંમત ₹6.50 લાખ

કુલ આભૂષણોની કિંમત અંદાજે ₹32 લાખથી વધુ છે.

કડક સુરક્ષા અને હજારો ભક્તોનો પ્રવાહ

કિંમતી આભૂષણોને કારણે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 1972 થી આ સ્થળે ભગવાન ગણેશની સ્થાપના થઈ રહી છે. પ્રથમ નાની મૂર્તિથી શરૂઆત થઈ હતી, પરંતુ સમય જતાં ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આજે આ સુરતના સૌથી પ્રસિદ્ધ ગણેશ પંડાલોમાંથી એક છે, જ્યાં હજારો ભક્તો રોજ દર્શન કરવા આવે છે.

Richest Queen : આ છે દુનિયાની 5 સૌથી અમીર રાણીઓ, નીતા અંબાણી કરતા અનેક ગણા મોંઘા છે તેમના શોખ, જાણો

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">