AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Richest Ganpati : સુરતના ‘સૌથી અમીર ગણપતિ’, ભવ્ય શણગાર અને લાખો રૂપિયાના આભૂષણોથી છે શોભિત, જુઓ 

સુરતમાં સ્થાપિત આ ગણેશજીને "ગુજરાતના સૌથી ધનિક ગણેશ" તરીકે ઓળખવામાં આવે છે. તેમના પર 25 કિલોથી વધુ સોના-ચાંદીના આભૂષણો શોભે છે

Surat Richest Ganpati : સુરતના ‘સૌથી અમીર ગણપતિ’, ભવ્ય શણગાર અને લાખો રૂપિયાના આભૂષણોથી છે શોભિત, જુઓ 
| Updated on: Aug 30, 2025 | 7:32 PM
Share

સુરતના મહિધરપુરા વિસ્તારના ડાલિયા શેરીમાં દર વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન અનોખી ભવ્યતા જોવા મળે છે. અહીં બિરાજમાન ભગવાન ગણેશને ‘ગુજરાતના સૌથી ધનિક ગણેશ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમના પર 25 કિલોથી વધુ સોના અને ચાંદીના આભૂષણો શોભે છે.

લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોથી શણગાર

દર વર્ષે ભગવાન ગણેશની મૂર્તિ પર લાખો રૂપિયાના આભૂષણો પહેરાવવામાં આવે છે. આ આભૂષણો આખું વર્ષ તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને માત્ર ગણેશ ઉત્સવ દરમિયાન જ પ્રદર્શન અને પૂજા માટે મૂકવામાં આવે છે. આ વર્ષે પણ ભગવાનને 6 ફૂટ લાંબા અને 1 કિલો સોના-ચાંદીના હારથી શણગારવામાં આવ્યા છે.

અનોખી મૂર્તિ અને આકર્ષક શણગાર

આ વખતે એક લાખ અમેરિકન હીરાથી જડિત પાંદડાના આકારની ચાંદીની મૂર્તિ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત, 7 કિલો ચાંદીથી બનેલું મુશકરાજ (ગણેશજીનું વાહન) ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે.

લાઇવ દર્શન માટે મોબાઇલ એપ

ભક્તો ઘરે બેઠા 24 કલાક ભગવાનના લાઇવ દર્શન કરી શકે તે માટે ખાસ મોબાઇલ એપ્લિકેશન બનાવવામાં આવી છે.

આભૂષણોની કિંમત અને વિગતો

  • મુગટ: 2 કિલો સોના-ચાંદી, કિંમત લાખોમાં

  • ચાર હાથના કવર: 3 કિલો સોના-ચાંદી

  • હાથપગના કવર: 1 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.50 લાખ

  • પગના કવર: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹3.25 લાખ

  • કમરબંધ: 750 ગ્રામ, કિંમત ₹1.50 લાખ

  • કમળ: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.25 લાખ

  • કુહાડો: 1.5 કિલો સોના-ચાંદી, કિંમત ₹2.25 લાખ

  • અમેરિકન હીરા: 1.50 લાખ પીસ, કિંમત ₹2 લાખ

  • મુશકરાજ: 7 કિલો ચાંદી, કિંમત ₹6.50 લાખ

કુલ આભૂષણોની કિંમત અંદાજે ₹32 લાખથી વધુ છે.

કડક સુરક્ષા અને હજારો ભક્તોનો પ્રવાહ

કિંમતી આભૂષણોને કારણે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 1972 થી આ સ્થળે ભગવાન ગણેશની સ્થાપના થઈ રહી છે. પ્રથમ નાની મૂર્તિથી શરૂઆત થઈ હતી, પરંતુ સમય જતાં ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આજે આ સુરતના સૌથી પ્રસિદ્ધ ગણેશ પંડાલોમાંથી એક છે, જ્યાં હજારો ભક્તો રોજ દર્શન કરવા આવે છે.

Richest Queen : આ છે દુનિયાની 5 સૌથી અમીર રાણીઓ, નીતા અંબાણી કરતા અનેક ગણા મોંઘા છે તેમના શોખ, જાણો

Follow Us
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
g clip-path="url(#clip0_868_265)">