Surat Rain : અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગ આખી રાત કામે લાગ્યુ

સુરત શહેરમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના કારણે ભારે નુકસાન થયુ હતુ.

Surat Rain : અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના પગલે અનેક વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગ આખી રાત કામે લાગ્યુ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 14, 2024 | 1:35 PM

Surat Rain News : સુરત શહેરમાં ગતરોજ દિવસભર કાળઝાળ ગરમી પડ્યા બાદ મોડી રાતે 10 વાગ્યા બાદ વરસાદ ખાબક્યો હતો. વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. જેમાં અંદાજે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. જેના પગલે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષો તુટી પાડયા હતા.

ફાયર વિભાગે આખી રાત વૃક્ષ હટાવવાની કામગીરી કરી

સુરત શહેરમાં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના કારણે ભારે નુકસાન થયુ હતુ.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વાતાવરણમાં પ્રસરી ઠંડક

હવામાન વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે દરમિયાન સોમવારે રાત્રે જ વરસાદ પડતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો સતત વધતા શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. શહેરના પાલ, અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતજોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

લોકોના ઘરના છાપરા ઉડ્યા

સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારવો છાપરા પણ ઉડયા હોવાની ઘટના બની હતી. ભારે પવન ફૂંકાવાને કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાઈ થઈ જતાં ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. સુરતમાં કુલ 18 વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે અડાજણ પાટિયા પાસે આવેલી સુગમ સોસાયટીમાં મહાકાય વૃક્ષ ઘર પર તુટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. જ્યારે કોઈ જાનહાનિ ન થતાં રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો- Gujarat Rain : કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત, આજે 29 જિલ્લામાં વરસાદની આગાહી, જુઓ Video

ઝોન પ્રમાણે રાતના 10થી સવાર સુધી કેટલા ઝાડ પડ્યા

  • સેન્ટ્રલ- 4
  • રાંદેર- 9
  • લિંબાયત- 1
  • કતારગામ- 3
  • વરાછા- 1

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">