Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત

નોંધનીય છે કે એકતરફ સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ છે. તેવામાં શાસકો દ્વારા કરકસર કરીને ખર્ચ બચાવવા અને આવકના સ્ત્રોતો ઉભા કરવા બાબતે હમેશા વાતો કરવામાં આવે છે તો બીજી તરફ હવે તમામ 120 કોર્પોરેટરો માટે 72 હજારના ખર્ચે લેપટોપ ખરીદવાના કામ પર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાવા જઈ રહ્યો છે. 

Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત
Surat Municipal Corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 3:10 PM

સુરત મહાનગરપાલિકામાં 120 કોર્પોરેટરોને (corporater ) રૂ. 87.36 લાખના ખર્ચે લેપટોપ (laptop )આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ માટે બે એજન્સીઓની ઓફર આવી હતી. જે પૈકી એક એજન્સી ક્વોલિફાઈડ થઇ હતી. અગાઉ 98 લેપટોપ અને 22 ટેબ્લેટ ખરીદવા માટેનું ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુધારેલી જરૂરિયાત મુજબ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવાનું જ નક્કી કરાયું હતી. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેટરોને દરેક ટર્મની જેમ લેપટોપ આપવા કે કેમ તે બાબતે પદાધિકારીઓ અસમંજસભરી સ્થિતિમાં હતા. 

ભાજપ દ્વારા પણ પોતાના ધારાસભ્યો, હોદ્દેદારોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે. હાલમાં જ ભાજપ પ્રમુખે એક કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્યો, હોદ્દેદારોને ટેબ્લેટનો ઉપયોગ કરવા માટે ટકોર કરી હતી. કોરોનાના કારણે મનપાની આર્થિક સ્થિતિ ડામાડોળ હોવાથી કોર્પોરેટરોને લેપટોપ આપવા કે કેમ ? તે બાબતે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. છેવટે તમામ કોર્પોરેટરોને લેપટોપ આપવા માટે શાસકોએ મન બનાવી લીધું છે. અને હવે શાસક અને વિપક્ષ એમ બંને પક્ષના સભ્યોને લેપટોપ આપવામાં આવશે.

નોંધનીય છે કે એકતરફ સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ છે. તેવામાં શાસકો દ્વારા કરકસર કરીને ખર્ચ બચાવવા અને આવકના સ્ત્રોતો ઉભા કરવા બાબતે હમેશા વાતો કરવામાં આવે છે તો બીજી તરફ હવે તમામ 120 કોર્પોરેટરો માટે 72 હજારના ખર્ચે લેપટોપ ખરીદવાના કામ પર સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાવા જઈ રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બીજી ચર્ચા એ પણ છે કે 120 કોર્પોરેટરોમાંથી મોટા ભાગના કોર્પોરેટરો પ્રાથમિક શિક્ષણ પણ લીધેલું નથી. જેઓને લેપટોપ ચલાવતા આવડે છે કે કેમ તે પણ એક સવાલ છે. ભૂતકાળમાં પણ કોર્પોરેટરોને અપાતા ગેજેટનો ઉપયોગ તેમના સબંધીઓ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે જો આ લેપ્ટોપ આપવામાં આવે તો તેમાંથી કેટલા કોર્પોરેટરો લેપટોપનો ઉપયોગ કરશે તે પણ એક સવાલ છે.

આ પહેલા જયારે મોંઘા ફોન આપવાની વાત હતી ત્યારે વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પણ આ લેપટોપ વિપક્ષના સભ્યોને પણ મળવાના હોય હાલ તેમના દ્વારા આ અંગે કોઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો નથી. આમ, દિવાળી સમયે જ પાલિકા દ્વારા દેવાળું કાઢવાની તૈયારી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">