Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા “સાયબર સંજીવની”ની પહેલ

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે.

Surat: સાયબર ક્રાઈમના કેસોમાં ઘટાડો કરવા પોલીસ દ્વારા સાયબર સંજીવનીની પહેલ
surat police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:43 PM

આજના આધુનિક યુગમાં લોકો ઈન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સાયબર ક્રાઈમ (Cyber Crime)ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યા છે, તેથી નાગરીકોને સાયબર ફ્રોડથી બચાવવા અને લોકો પોતાની જાતેજ સ્પર્ધા દ્વારા જાગૃત થાય તે માટે સુરત પોલીસે “સાયબર સંજીવની “(Cyber Sanjeevani)ની પહેલ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતભરમાં દિનપ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને ફ્રોડ કરનાર વ્યક્તિઓ અવનવી એપોથી સાયબર ફ્રોડ કરતા હોય છે, તેવામાં લોકોમાં વધુને વધુ જાગૃતતા આવે અને લોકો સાયબર ફ્રોડથી બચી શકે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ‘સાયબર સંજીવની’ અભિયાન શરૂ કર્યું છે.

સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં થતી કાયદેસરની કાર્યવાહી તથા તેઓની જવાબદારી વિશે પણ આ સ્પર્ધાના માધ્યમથી જાગૃત કરવામાં આવશે અને સાયબર સંજીવનીનો ઉદ્દેશ લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી સુરત શહેર પોલીસ (Surat police) “સાયબર સેફ સુરત” બનાવવાનું નક્કી કર્યુ છે.

લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડસ ઓપરેન્ડી વિશે માહિતગાર કરવામાં આવશે, સાથે લોકોમાં સાયબર ક્રાઈમ સંબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યામાં ઘટાડો કરવાનો ટાર્ગેટ છે. ડીજીટલ ઈન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરવા સુરત પોલીસ મદદ કરશે.

વધુમાં સુરત પોલીસ દ્વારા વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો સામે આવે અને ફરિયાદ નોંધાવે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં એક PSI અને ત્રણ માણસોને સાયબરને લગતી સ્થાનિક લેવલે ટ્રેનિંગ આપવામાં આવી અને જેથી પોલીસ સ્ટેશન લેવેલે નાની મેટરોનો નિકાલ કરવા આવે.

સુરત પોલીસે અત્યાર સુધી કેટલા ગુનાઓ નોંધ્યા અને કેટલા ગુના ઉકેલાયા તેની આ વિગત જાણો

સુરત શહેરમાં સાયબર ક્રાઈમના 203 કેસ નોંધાયા હતા. જે પૈકી 70 ગુના ડિટેકટ થયા હતા. જેમાં 1,34,17,380 રૂપિયાની રિકવરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે છેલ્લા 4 વર્ષમાં આ વર્ષે સૌથી વધુ ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :Surat : શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ

આ પણ વાંચો : લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">