Surat : ગણપતિ ઉત્સવ ઉજવવા માટે આ વર્ષે આયોજકોએ વધારે રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર

સુરતમાં ગણપતિ ઉત્સવની તૈયારીઓ હવે શરૂ થઇ ગઈ છે. પરંતુ આ વખતે ઘણા કારણોસર મંડ્પથી લઈને મૂર્તિ સુધીના ભાવમાં 25 થી 30 ટકા સુધી વધારો થયો છે.

Surat : ગણપતિ ઉત્સવ ઉજવવા માટે આ વર્ષે આયોજકોએ વધારે રૂપિયા ખર્ચવા રહેવું પડશે તૈયાર
Surat - Ganpati Utsav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:21 AM

સરકારે ગણપતિ મહોત્સવ ઉજવવાની પરવાનગી આપી દેતા જ ગણેશભક્તો જેની આતુરતાથી રાહ જોતા હતા તે ગણપતિ બાપ્પાને આવકારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. પણ આ વખતે આયોજકોને તૈયારી માટે સમય ઘણો ઓછો સમય મળ્યો છે. તેવામાં મંડપ, ડેકોરેશનથી લઈને ગણપતિની મૂર્તિના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

આ વખતે ગણપતિ ઉત્સવ ઉજવવા માટે ભક્તો 25 થી 30 ટકા જેટલો વધારાનો ખર્ચ કરવો પડશે. જોકે સાર્વજનિક આયોજનો પર સરકારે રોક લગાવી છે. મોટા આયોજનો પર ભલે સરકારની રોક હોય પણ ભક્તોનો ઉત્સાહ ખુબ વધારે જોવા મળી રહ્યો છે. સરકારે 4 ફૂટ સુધી પ્રતિમાની સ્થાપના કરવાને મંજૂરી આપી છે. જેને લઈને છેલ્લી ઘડીએ મૂર્તિકાર અને કારીગરોની વ્યવસ્થા ઉભી કરવી પડી છે.

જોકે કોરોનાના કારણે આ વખતે જે કારીગરો મૂર્તિ બનાવવા માટે આવી રહ્યા છે તેમને બમણું વળતર પણ ચૂકવવું પડી રહ્યું છે. મૂર્તિ બનાવનાર કારીગરો મોટામાં પશ્ચિમ બંગાળમાંથી આવે છે. જેમને સ્પેશ્યલ ટિકિટ આપીને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મૂર્તિ બનાવવા માટે વપરાતી સામગ્રીઓ પણ મોંઘી થઇ ગઈ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોનાના કારણે કારીગરો ફરી અહીં આવવાનું ટાળી રહ્યા છે. જે કારીગરોને પહેલા દર મહિને 10 હજાર આપતા હતા. તેમને હવે 20 હજાર સુધી આપવા પડી રહ્યા છે. સૂકા ઘાસ માટે 700 રૂપિયાની જગ્યાએ 1300 રૂપિયા, 10 કિલો માટી માટે 140 રૂપિયાની જગ્યાએ 170 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ગોડાઉનનું ભાડું પણ દોઢ ગણું વધારી દેવામાં આવ્યું છે. વાંસની કિંમત પણ 10 ટકા વધી ગઈ છે.

એક મૂર્તિકારે જણાવ્યું છે કે ફક્ત ચાર ફૂટની મૂર્તિ બનાવવાથી મૂર્તિકારોને નુકશાન થશે. ભક્તો ઓછી કિંમતે મૂર્તિઓ માંગે છે. પરંતુ તેમની મજબૂરી છે કે ઓછી કિંમત પર તેઓ મૂર્તિઓ આપી નથી શકતા. માટી, વાંસ, કલર, કેમિકલ, મજૂરીનો ખર્ચો વધી ચુક્યો છે. જેના કારણે ગણપતિની પ્રતિમાઓની કિંમત પહેલા કરતા 25 ટકા વધારે હશે.

અન્ય એક મૂર્તિકાર જણાવે છે કે સામાન્ય રીતે ગણપતિ ઉત્સવ માટે પશ્ચિમ બંગાળના કારીગરોને સુરત બોલાવવામાં આવે છે. સાડા ચાર મહિના પહેલા જ તેઓ સુરત આવીને મૂર્તિ બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. પરંતુ આ વર્ષે વધારે તૈયારી કરવાનો સમય મળ્યો નથી. છેલ્લી ઘડીએ બધી તૈયારી કરવી પડી રહી છે. જેથી બધું જ બે થી ત્રણ ગણું મોંઘુ થઇ ગયું છે.

આ પણ વાંચો :

Surat: મેયર ડેશબોર્ડ પર ગાર્ડન વિભાગની સૌથી વધુ ફરિયાદો, બાગબગીચાની જાળવણી કરવા શહેરીજનો કરી રહ્યા છે માંગ

Surat: તહેવારોને લઈને વેપારીઓએ 70 ટકા સુધી પ્રોડક્શન કર્યું શરૂ, ઓવર પ્રોડક્શનથી રહેશે દૂર

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">