Surat : દીકરી જન્મ બાદ તેને મળતા સરકારી લાભોથી વાકેફ કરાવવા સુરતમાં એક સંસ્થાએ શરૂ કર્યું અલાયદું કાર્યાલય
સૌથી પહેલા સંસ્થા દ્વારા પ્રસુતિ ગૃહ હોસ્પિટલોનો સંપર્ક કરી જે પ્રસુતાને દીકરી જન્મે તેના માટે ફોર્મ આપવામાં આવે છે અને તેમને આ સંસ્થાનો સંપર્ક કરી યોજનાનો લાભ મેળવવા માટે જણાવવામાં આવે છે
સમાજમાં દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. દીકરી (daughter) ના જન્મથી લઈને તેના ભણતર સુધી તેના ઉછેરમાં મા બાપને મદદરૂપ થાય તેવી જાહેરાતો ઘણી કરવામાં આવી છે અને યોજનાના અમલીકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે.
આમ છતાં પણ ઘણા ઓછા લોકો એવા હોય છે, જેને આ યોજનાઓની અને તેનો લાભ કેવી રીતે લેવો તેની પૂરેપૂરી જાણકારી હોય છે. અને યોગ્ય જાણકારીના અભાવે તેઓ આ સહાયથી વંચિત પણ રહી જતા હોય છે. આવા લોકોની મદદ માટે એક સંસ્થા આગળ આવી છે.
સુરતમાં વ્હાલી દીકરીના વધામણાં અંતર્ગત સરકારની અનેક યોજના છે જેનો લોકો અત્યાર સુધી માહિતીના અભાવે લોકો લાભ નથી લઈ શકતા તેમના માટે સુરતની વ્હાલી દીકરીના વધામણાં નામની સંસ્થા (organization)શરૂ કરી લોકોને આ સેવાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
દીકરી એટલે વ્હાલનો દરિયો. અત્યારે દીકરી માટે અનેકો યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં આવી રહી છે. બેટી બચાવો બેટી પઢાવો જેવી યોજના થકી અત્યારે દીકરીઓ ભણી ગણીને પગભર થઈ રહી છે. પરંતુ સરકારની એક એવી પણ યોજના છે જે દીકરી જન્મે ત્યારથી જ લાગુ પડી જાય છે. એ યોજના એટલે વ્હાલી દીકરીના વધામણાં.
આ યોજનાનો લાભ ઘણા લોકો માહિતીના અભાવે મેળવી શકતા નથી. તેવામાં સુરતના મોટા વરાછા ખાતે વ્હાલી દીકરીના વધામણાં નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી છે અને લોકોને આ યોજનાનો લાભ અપાવવા માટે સહાય પણ શરૂ કરી છે.
સૌથી પહેલા આ સંસ્થા દ્વારા વરાછા વિસ્તારની તમામ પ્રસુતિ ગૃહ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે છે અને તેમને ફોર્મ વિતરણ કરવામાં આવે છે કે જો કોઈ પ્રસૂતાને દીકરી જન્મે (girl birth) તો તેમને આ યોજના અંતર્ગત સરકાર તરફથી અનેક લાભ આપવામાં આવે છે.
સાથે જ સંસ્થા દ્વારા પણ લોકો ને દાતા દ્વારા અનેક લાભ આપવામાં આવે છે જેમા સોનાનો દાણો, નજરીયા, જલેબી ફાફડા , કેક વગેરે વસ્તુ આપવામાં આવે છે. જોકે હાલ લોકોને આ યોજના પ્રત્યે જાણકારી નથી જેથી લોકો તેનો લાભ લઇ શકતા નથી, જેથી વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે તે માટે સંસ્થા દ્વારા તમામ પ્રસુતિ ગૃહ ખાતે પોસ્ટર ચોંટાડીને માહિતી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Surat : મહાનગરપાલિકા કોસાડ અને કરંજ ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 477 કરોડના ખર્ચે વિસ્તૃતીકરણ કરશે
આ પણ વાંચોઃ Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર