AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

સુરતમાં હાલના સમયમાં લગ્નસરા અને ત્યારબાદ ઈદ હોવાથી કાપડ માર્કેટમાં સારા એવા ઓર્ડર હોય છે. પરંતુ હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેને કારણે વેપારીઓ માલની ખરીદી તેમજ નવા ઓર્ડર માટે માર્કેટ ખાતે નથી આવી રહ્યા.

Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર
Surat Weaving Yarn Market Faces Negligable Purchase (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 27, 2022 | 12:02 PM
Share

સુરતમાં(Surat) હાલના સમયમાં લગ્નસરા અને ત્યારબાદ ઈદ(Eid) હોવાથી કાપડ માર્કેટમાં(Textile Market) સારા એવા ઓર્ડર હોય છે. પરંતુ હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેને કારણે વેપારીઓ માલની ખરીદી તેમજ નવા ઓર્ડર માટે માર્કેટ ખાતે નથી આવી રહ્યા. જેની સીધી અસર વિવિંગ અને યાર્ન માર્કેટ પર પડી છે.વિવિંગ ઈન્ડસ્ટ્રીમાં ગ્રે કાપડ તૈયાર જથ્થો મોટી સંખ્યામાં પડ્યો હોવાથી યાર્નની ખરીદી નહિવત થઈ ગઈ છે. જેને કારણે કેટલાક વિવિંગ માં બે દિવસની રજા પણ આપી દીધી છે.ડિસેમ્બરથી માર્ચ સુધી કાપડ માર્કેટમાં તેજીનો માહોલ હોય છે. અને કોરોનાની બીજી લહેર પછી આ સીઝન સારી રહેવાનો કાપડ ઉદ્યોગનું અનુમાન હતું. મોટી સંખ્યામાં કાપડ વેપારી ઓ એ માલ તૈયાર કરી નાખ્યો હતો અને ખાસ કરીને વિવિંગ એકમો દ્વારા પણ કાપડ નો મોટો જથ્થો તૈયાર કરી લેવામાં આવ્યો હતો.

પરંતુ એવામાં કોરોનાની ત્રીજી લહેર આવતા અન્ય રાજ્યો માથી જે માલ ખરીદવા માટે વેપારીઓ આવતા હોય છે તે નહિવત થઈ ગયા હતા અને જેની સીધી અસર વિવિંગ અને યાર્ન માર્કેટ પર પડી હતી. સાઉથ ગુજરાત યાર્ન ડીલર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે , હાલમાં વિવિંગ એકમોમાં કાપડના સ્ટોકનો ભરાવો છે જેથી યાર્નના ઓર્ડર ખુબજ નહિવત મળી રહ્યા છે.

વિવિંગમાં તો અત્યારે રોજ ના કામના કલાકો ઘટાડી દેવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ શનિ – રવિ એમ બે દિવસની રજા આપવામાં આવી છે. ક્યાં તો પછી 15 દિવસનું વેકેશન પણ પાડી દેવામાં આવ્યા છે. જેથી પ્રોડકશન નહિવત હોવાથી યાર્ન બજારની રોનક ફરી મુરઝાઈ ગઈ છે.

જો કે જ્યાં સુધી વાત છે કોરોનાની અસરની તો હાલ રાજ્યમાં કોરોનાના કેસોમાં પ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. સુરતમાં પણ ત્રીજી લહેર પિક પર આવીને ઓસરી રહી હોય તે પ્રકારે કેસો 1 હજારની અંદર આવી ગયા છે. ત્યારે આવનારા દિવસોમાં ફરી એકવાર લગ્નસરા અને તહેવારોની ખરીદી નીકળે અને બજારોમાં રોનક પરત ફરે તેવી અપેક્ષા વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ રાખીને બેઠું છે.

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના બિસ્માર માર્ગોને લઇને લોકો પરેશાન, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો

આ પણ વાંચો : Surendranagar : ધ્રાંગધ્રા તાલુકાના ભુગુપુર ગામે બોગસ ડોકટર ઝડપાયો 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">