AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લ્યો બોલો ! સ્મીમેર હોસ્પિટલમાં કુલર તો છે પણ પાણી આવતું નથી, દર્દીઓ પરેશાન

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. કારણ કે હોસ્પિટલમાં પાણીના કુલર તો છે પરંતુ તેમાં પાણી જ આવતું નથી.

Surat : લ્યો બોલો ! સ્મીમેર હોસ્પિટલમાં કુલર તો છે પણ પાણી આવતું નથી, દર્દીઓ પરેશાન
Surat Smimer Hospital
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 08, 2023 | 4:26 PM
Share

Surat: સ્મીમેર હોસ્પિટલમાં( SMIMER Hospital) દર્દીઓ અને તેના સબંધીઓને ખુબ જ હાલાકી પડી રહી છે કારણ કે હોસ્પિટલમાં પાણીનું કુલર તો છે પરંતુ તેમાં પાણી આવતું નથી. આપ પાર્ટીના કોર્પોરેટરોએ હોસ્પિટલની વિઝીટ કરતા આ સમસ્યાઓ સામે આવી હતી. દર્દીઓને હાલ પીવાનું પાણી બહારથી ખરીદીને લાવવું પડે છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને બહારથી પાણી લાવવાની ફરજ પડી રહી છે. કારણ કે હોસ્પિટલમાં પાણીના કુલર તો છે પરંતુ તેમાં પાણી જ આવતું નથી.

અહિયાં તો પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે

આપ પાર્ટીના કોર્પોરેટર તેમજ હોસ્પિટલ સમિતિ સભ્ય રચનાબેન હિરપરા અને કોર્પોરેટર મહેશભાઈ અણઘણ દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી આ દરમ્યાન અહી દાખલ દર્દીઓ અને તેઓના સગા સબંધીઓની મુલાકાત લેતા આ સમસ્યા સામે આવી હતી. અહી દાખલ દર્દીની પત્નીએ રડતી આંખે કહ્યું કે અહિયાં તો પીવાનું પાણી પણ બહારથી લાવવું પડે છે.

મનપા કમિશ્નરને રજૂઆત કરી

આપ પાર્ટીના કોર્પોરેટર રચના હીરપરાએ જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલની અમે સમયાંતરે મુલાકાત લેતા હોઈએ છીએ, આજે અમે મુલાકત લીધી તો પીવાના પાણીના કુલર તો હતા પરંતુ કુલરમાં પાણી જ આવતું ન હતું. દર્દીઓને મજબુરીમાં પીવાનું પાણી વ્હેચાતું લાવવું પડી રહ્યું છે. આ સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી કહેવાય, અમે આ અંગે મનપા કમિશ્નરને રજૂઆત કરી છે કે અહી પીવાના પાણીની સુવિધા જલ્દીથી શરુ કરવામાં આવે.

સ્મીમેર તંત્રને તાત્કાલિક નિરાકરણ લાવવા આદેશ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે અને પીવાના પાણીનો મુદ્દો પણ સામે આવતા આજે મેયર હેમાલીબેન બોઘાવાલાએ સ્મીમેર હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અલગ અલગ વોર્ડમાં પણ તેઓ ગયા હતા અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી .

જેમાં દર્દીઓને મળીને તેમના પ્રશ્નો જાણ્યા હતાં. આજે મેયર દ્વારા લેવામાં આવેલી મુલાકાતમાં જે મુદ્દાઓ સામે આવ્યા તે બાબતે સ્મીમેર તંત્રને તાત્કાલિક નિરાકરણ લાવવા આદેશ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">