Surat : AAPના અસ્તિત્વને બચાવવા ઉભો થયો પડકાર, કેજરીવાલ અને સીસોદીયા સુરતમાં ધામા નાંખશે

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા, આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો હતો. સુરતે જ AAP માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આશા જગાવી હતી.

Surat : AAPના અસ્તિત્વને બચાવવા ઉભો થયો પડકાર, કેજરીવાલ અને સીસોદીયા સુરતમાં ધામા નાંખશે
Arwind kejriwal and Manish Sisodiya (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:07 AM

AAP અસ્તિત્વ બચાવવા માટે વ્યૂહરચના બનાવી રહી છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા 5 રાજ્યોની ચૂંટણી (Election ) પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ધામાં નાંખશે. સુરતમાં(Surat ) મહેશ સવાણીના રાજીનામાથી મોટો ફટકો પડ્યો હતો, ત્યારબાદ 6 કાઉન્સિલરો પણ પાર્ટી છોડી ગયા હતા.ગત મહિને ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી અચાનક રાજીનામું(Resign ) આપી દીધું હતું. આનાથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે.

કોઈ પણ મુદ્દા પર પક્ષના કોઈ નેતા સાથે તેમનો કોઈ અણબનાવ નહોતો. કોઈ ઝઘડો ચાલતો ન હતો. રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહેશ સવાણીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની પણ ચર્ચા હતી, પરંતુ તેમણે પાર્ટી છોડી દીધી હતી. AAPના કાર્યકર્તાઓએ તેમને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પાછા ફરવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પહેલા, આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને પ્રથમ ધમાકેદાર દેખાવ કર્યો હતો. સુરતે જ AAP માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આશા જગાવી હતી. જો કે, વર્ષ 2022 ની શરૂઆતમાં, સુરત સહિત રાજ્યભરમાં આપને ઘણા આંચકાઓ જોવા પડ્યા હતા. પહેલા મહેશ સવાણીએ પાર્ટી છોડી. જે બાદ છ કાઉન્સિલરો ભાજપમાં ગયા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મહાનગરપાલિકામાં પણ તેઓ ઘણા મુદ્દાઓ પર લડત આપવા સફળ થઇ શક્યા નથી. હાલમાં પણ અનેક કાઉન્સિલરો ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આમ આદમી પાર્ટી પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે સખત પ્રયાસ કરી રહી છે. AAPનું કહેવું છે કે તે વિધાનસભા ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ઉતરશે. ડેમેજ કંટ્રોલ કરી રહેલા AAPના કાઉન્સિલર ધર્મેશ ભંડેરી ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે

તેઓ કહે છે કે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી છે. AAP નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના મોટા નેતાઓ વ્યસ્ત છે. 10 માર્ચે ચૂંટણી પૂર્ણ થશે. જે બાદ અરવિંદ કેજરીવાલથી લઈને મનીષ સિસોદિયા સુધીના તમામ મોટા નેતાઓ સુરત આવશે.

ગુજરાત ચૂંટણી પહેલા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરશે અને પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી માટે બેઠકો અનુસાર પ્રભારીઓની નિમણૂક શરૂ થઈ ગઈ છે. ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી માટે અમે અમારી રણનીતિ બનાવી રહ્યા છીએ. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી 10 માર્ચે પૂરી થશે. જે બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા જેવા ટોચના નેતાઓ સુરતમાં ધામા નાખશે અને ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

આ પણ વાંચો :

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ સુરત બાજીપૂરા ખાતે સહકાર સંમેલનમાં હાજરી આપશે

સુરત : એક મહિલા રીક્ષામાં દાગીના ભરેલી બેગ ભુલી જતા રીક્ષા ચાલક બેગ લઈ થઈ ગયો ગાયબ

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">