AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પ્રિમોન્સૂન કામગીરીમાં જ સુરત પાલિકાને 1392 મિલકતો જોખમી મળી આવી, ગયા વર્ષની સરખામણીમાં 270 વધારે

surat : સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન (PreMonsoon) કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે.

Surat: પ્રિમોન્સૂન કામગીરીમાં જ સુરત પાલિકાને 1392 મિલકતો જોખમી મળી આવી, ગયા વર્ષની સરખામણીમાં 270 વધારે
સુરત
Parul Mahadik
| Edited By: | Updated on: May 28, 2021 | 3:02 PM
Share

surat : સુરત મહાનગરપાલિકાએ પ્રીમોન્સૂન (PreMonsoon) કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત મિલ્કતોનો સર્વે કર્યો છે. સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 1392 જેટલી બિલ્ડીંગો જર્જરિત જોવા મળી છે. પાછલા વર્ષની સરખામણીમાં આ ઈમારતોની સંખ્યા 270 જેટલી વધી છે.

કેટલીક જર્જરિત ઈમારતોને સમારકામ જ્યારે કેટલીક ઈમારતોને તોડવા માટે નોટિસ આપવામાં આવી છે. જ્યારે 382 બિલ્ડિંગનું સ્ટ્રક્ચર હટાવવા માટે કહેવામાં આવ્યું છે. સૌથી વધારે જર્જરિત બિલ્ડીંગ 238 ઉધના અને રાંદેર ઝોનમાં છે.

મહાનગરપાલિકાની પણ 116 જેટલી ઇમારતો જર્જરિત છે. તેમાંથી 52 બિલ્ડીંગને તોડવા માટે કહેવામાં આવ્યું છે. જોકે મહાનગર પાલિકાએ નોટિસ આપવા ઉપરાંત અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી કરી.

ત્રણ દિવસ પહેલાં જ અમદાવાદના અડાલજ વિસ્તારમાં પાંચ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. જ્યારે બે દિવસ પહેલા જ સુરતના પનાસ અને રાંદેર વિસ્તારમાં પણ એક બિલ્ડીંગનો સ્લેબ પડી ગયો હતો. જેમાં પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમાં બાળકો પણ સામેલ હતા.

કયા ઝોનમાં કેટલી ઇમારતો જર્જરિત ?

વરાછા ઝોન એમાં 32 ઇમારતો , વરાછા બી માં 01, લીંબાયત ઝોનમાં 38, ઉધના ઝોનમાં 7, અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 11, સેન્ટ્રલ ઝોનમાં 204, કતારગામ ઝોનમાં 0 ઇમારતોમાં સમારકામની જરૂર છે.

કેટલી બિલ્ડીંગ તોડવાની નોટિસ આપવામાં આવી 

વરાછા ઝોન એમાં 0, વરાછા બી માં 0,લીંબાયત ઝોનમાં 20,ઉધના ઝોનમાં 178, અઠવા ઝોનમાં 14, રાંદેર ઝોનમાં 42, સેન્ટ્રલ ઝોનમાં 85, કતારગામ ઝોનમાં 43 બિલ્ડીંગ તોડવાની નોટિસ આપવામાં આવી છે

Follow Us
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">