AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગોવિંદા આલા રે આલા, સુરતમાં આ વખતે ફૂટશે 1.25 લાખની મટકી

ગત વર્ષ કરતા આ વર્ષે 13 ગોવિંદા (Govinda ) મંડળો નો વધારો થયો છે જેથી હમણાં સુધી 141 ગોવિંદા મંડળ નોંધાયા છે. જેથી આ વર્ષે લોકોમાં ઉત્સાહ પણ ઘણો વધારે જોવા મળી રહ્યો છે. 

Surat : ગોવિંદા આલા રે આલા, સુરતમાં આ વખતે ફૂટશે 1.25 લાખની મટકી
Matki Fod Preparation (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 9:54 AM
Share

આવતીકાલ 19 ઓગસ્ટ શુક્રવારના રોજ જન્માષ્ટમીની(Janmashtami ) ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે કૃષ્ણભક્તોમાં અત્યારથી જ તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોરોનાના (Corona ) બે વર્ષના સમયગાળા બાદ હવે જયારે તહેવારોની રંગત જામી છે, ત્યારે દરેક તહેવારોને અનોખી રીતે ઉજવણી કરીને યાદગાર બનાવવા માટે સૌ કોઈ આતુર દેખાઈ રહ્યા છે. સુરતમાં જન્માષ્ટમીનો ઉત્સવ પણ તેટલા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે જયારે કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે તૈયારીઓ ચાલતી હોય છે, ત્યાં ગોવિંદા મંડળો દ્વારા શહેરની શેરીઓ અને ગલીઓમાં મટકી ફોડનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.

ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જ્યુબિલી મટકી ફોડ નું આયોજન

મુંબઈ બાદ ગુજરાતમાં સુરતમાં મટકીફોડનું આયોજન સૌથી વધારે ધામધૂમથી કરવામાં આવે છે. સુરત શહેરમાં આ વખતે ગોવિંદા ઉત્સવ સમિતિને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ વર્ષની ઉજવણી પણ કંઈ ખાસ બની રહેવાની છે. આમ તો સુરતમાં શેરીઓ અને ગલીઓમાં નાની મોટી મટકીઓ ફોડવામાં આવે જ છે. પણ સૌથો મોટો અને મુખ્ય કાર્યક્રમ સુરતના હાર્દ સમા એવા ભાગળ ચાર રસ્તા પર કરવામાં આવે છે. આ વખતે ગોવિંદા ઉત્સવ સમિતિ ને 25 વર્ષ થતાં ભાગળ ખાતે પ્રથમ વખત 1.25 લાખની સિલ્વર જ્યુબિલી મટકી ફોડવાનુ આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષની સુરત શહેર ભાગળ ચાર રસ્તા ખાતેની મુખ્ય મટકી ફોડવાનો લ્હાવો લાલ દરવાજા વિસ્તારના શ્રી લાલ દરવાજા બાળ મિત્ર મંડળને ફાળે ગયો છે, જેઓને 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવનાર છે. જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું બાળગણેશ યુવક મંડળ જોડાશે જેઓને 5,100 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવનાર છે. સાથે જ આ વર્ષે જય ભવાની સ્પોર્ટ્સ ક્લબને 50 વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે,જેઓને પણ 11,000 રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે.

અત્યાર સુધી 141 ગોવિંદા મંડળ નોંધાયા

ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે અત્યાર સુધી 128 ગોવિંદામંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 13 ગોવિંદા મંડળો નો વધારો થયો છે જેથી હમણાં સુધી 141 ગોવિંદા મંડળ નોંધાયા છે. જેથી આ વર્ષે લોકોમાં ઉત્સાહ પણ ઘણો વધારે જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">