Surat : સમયના અભાવે હવે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે તૈયાર કરાવડાવે છે દિવાળીની રંગોળી

દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના ઘર આંગણાને રંગોળીથી સજાવતા હોય છે. ભાગદોડવાળી જિંદગી અને કઈંક નવીનતા માટે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે રંગોળી બનાવડાવતા થયા છે.

Surat : સમયના અભાવે હવે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે તૈયાર કરાવડાવે છે દિવાળીની રંગોળી
Rangoli Design
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:19 PM

દિવાળીના (Diwali 2021) તહેવાર દરમિયાન લોકો પોતાના ઘરઆંગણે રંગોળીની ડિઝાઇન (Rangoli Design) બનાવતા હોય છે. તેમાં પણ ઘરની ગૃહિણીઓ પોતાના ઘર આંગણને રંગોળીથી સજાવવા આતુર રહેતી હોય છે. પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી હવે લોકો રંગોળી આર્ટિસ્ટને બોલાવીને પોતાના ઘરે રંગોળી બનાવડાવતા હોય છે. જેના માટે પાંચસો રૂપિયાથી લઇને દસ હજાર સુધીની રંગોળી લોકો બનાવડાવે છે.

દિવાળી અને નવા વર્ષને આવકારવા લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના ઘર આંગણાને રંગોળીથી સજાવતા હોય છે. ગૃહિણીઓ મોડી રાત સુધી પોતાના ઘર આંગણે રંગોળીઓ બનાવતી હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે. ભાગદોડવાળી જિંદગી અને કઈંક નવીનતા માટે લોકો રંગોળી આર્ટિસ્ટ પાસે રંગોળી બનાવડાવતા થયા છે અને તેના માટે લોકો 10,000 સુધી ખર્ચતા હોય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રંગોળી આર્ટિસ્ટ પરિમલભાઈ ગજ્જરનું કહેવું છે કે, આજે લોકો પાસે સમય નથી અને બીજા કરતા કઈ અલગ જોઈએ છે. દેખાદેખી પણ ઘણા લોકો કરતા હોય છે. તેથી હવે તેઓ રંગોળી બનાવડાવતા હોય છે. મારી પાસે દિવાળી દરમિયાન ઘણા ઓર્ડર આવતા હોય છે. જેમાં સ્કેચ, ફ્રી હેન્ડ ડિઝાઇન અને અન્ય ડિઝાઇનની રંગોળી લોકો બનાવડાવે છે. રંગોળીના ભાવ સ્કેવર મીટર પર હોય છે. ઘણા લોકો 9 હજાર થી 10,000 રૂપિયા સુધીની રંગોળી મારી પાસે બનાવડાવે છે.

અન્ય એક ટેન્ગોલી આર્ટિસ્ટ અખ્તરભાઈ કહે છે કે લોકો કરોઠીના રંગોની સાથે સાથે હવે કેનવાસ પર પેઇન્ટ કરેલી રંગોળી પણ બનાવડાવે છે. જેથી દિવાળી કે નવા વર્ષમાં તેને કેનવાસ સાથે જ ઘર આંગણે મૂકી શકાય અને તે પછી તહેવાર પૂરો થયા બાદ તેને ઘરના ડ્રોઈંગ રૂમમાં વોલ આર્ટ તરીકે મૂકી શકાય. કોરોનાના કારણે ગયા વર્ષે અમારી પાસે કામ નહોતું. પણ આ વર્ષે અમને એડવાન્સમાં ઓર્ડર મળ્યા છે.

જલ્પા ઠક્કર એ કહ્યું કે પહેલા હું જાતે રંગોળી બનાવતી હતી, પરંતુ હવે નોકરી અને ઘરમાંથી જ થાકી જવાય છે અને સમય પણ રહેતો નથી. તેથી મેં પણ છેલ્લા બે વર્ષથી રંગોળી આર્ટિસ્ટ પાસે જ રંગોળી બનાવડાવું છું. દિવાળી રંગોળી વિના અધૂરી લાગે છે. એટલે રંગોળી તો બનાવડાવવી જ પડે છે.

આ પણ વાંચો : Surat : દિવાળીમાં દેવાળાની તૈયારી : ભાજપ અને આપના કોર્પોરેટરોને લેપટોપ આપવાની દરખાસ્ત

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">