AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

જોકે આ ટ્રેનોમાં કન્ફ્રર્મ ટિકિટ લેનારા મુસાફરો જ મુસાફરી કરી શકે છે. તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી છે કે વગર ટિકિટે પણ લોકો દંડ ભરીને રસીદ સાથે પણ સ્લીપર અને અન્ય કોચ માં મુસાફરી કરી રહ્યા છે. 

Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ
Surat: Crowds were seen at the railway station now after Diwali due to people going home for Chhath Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 1:34 PM
Share

દિવાળીના સમય અને છઠ પૂજાના કારણે સુરત, ઉધના રેલવે સ્ટેશન પર ગામ અને પોતાના વતન જનારા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. રેલવે સુરક્ષા અને ભાગદોડ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશન પર પોલીસ જવાનોની ટીમને તૈનાત કરી છે. ત્રણ દિવસ પહેલા વિરાર અને વેંતરણા સ્ટેશન વચ્ચે માલગાડીના એન્જીનમાં ટેક્નિકલ ફોલ્ટ આવવાના કારણે રેલવે વ્યવહાર બંધ રહ્યો હતો. અને ભીડના કારણે સ્ટેશન પર ભારે અવ્યવસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. 

ભારતીય રેલવેની નિયમિત દ્રેનો હજી સુધી પૂર્ણ રીતે શરૂ થઇ શકી નથી. તો બીજી તરફ દિવાળીના સમય અને છઠ પૂજાને કારણે પોતાના વતન જનારા લોકો મોટી સંખ્યામાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. જોકે આ ટ્રેનોમાં કન્ફ્રર્મ ટિકિટ લેનારા મુસાફરો જ મુસાફરી કરી શકે છે. તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી છે કે વગર ટિકિટે પણ લોકો દંડ ભરીને રસીદ સાથે પણ સ્લીપર અને અન્ય કોચ માં મુસાફરી કરી રહ્યા છે.

સ્થાનિક રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક થી ત્રણ નંબરના પ્લેટફોર્મ પર સૌથી વધારે મુસાફરો પોતાના વતન અને શહેરો તરફ રવાના થયા છે. જોકે કરંટ ટિકિટ બુકીંગ કાર્યાલયથી લાંબા અંતરના સ્ટેશનોની ટિકિટનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ છે. જેના કારણે મુસાફરોની ભીડ કરંટ ટિકિટ બુકિંગની આવક પર વધારે અસર જોવા મળી નથી. ત્યાંજ પ્લેટફોર્મ પર ટિકિટ ચેકીંગ સ્ટાફ વગર કન્ફ્રર્મ ટિકિટ સાથે પહોંચેલા મુસાફરોને દંડ લઈને ટ્રેનમાં મુસાફરી કરવા દઈ રહ્યા છે.

વેઇટિંગ હોલમાં ગણતરીના મુસાફરોને જ લાભ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા હોય છે. પરંતુ આ બધા વેઇટિંગ હોલ વર્ષો પહેલાના મુસાફરોની સંખ્યાના આધારે બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સુરત રેલવે સ્ટેશન પર તેમાં બેઠક ક્ષમતા વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. દિવાળીના સમયની ભીડ પછી સ્ટેશનના અધિકારીઓએ મુંબઈ મંડળના મુસાફરો માટે વેઇટિંગ હોલની ક્ષમતા વધારવા માટે માંગણી કરી છે. જૂનું પાર્સલ કાર્યાલય લાંબા સમયથી બંધ છે. તો આ જગ્યાને પણ મોટા વેઇટિંગ હોલમાં ફેરવીને મુસાફરોને તેનો લાભ આપી શકાય છે.

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">