સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું

સુરતના રાંદેર વિસ્તારમાં એક શાળાની માન્યતા રદ થઈ છે અને છતાંપણ તે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આમ માન્યતા વગર શાળા પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂકી રહી છે. સુરતના રાંદેર તાડવાડી પાસે આવેલી પ્રભાત તારા સ્કુલની માન્યતા 2016માં રદ કરી દેવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા સ્કુલ ચાલુ રાખવામાં […]

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 20, 2019 | 4:12 PM

સુરતના રાંદેર વિસ્તારમાં એક શાળાની માન્યતા રદ થઈ છે અને છતાંપણ તે શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આમ માન્યતા વગર શાળા પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂકી રહી છે.

સુરતના રાંદેર તાડવાડી પાસે આવેલી પ્રભાત તારા સ્કુલની માન્યતા 2016માં રદ કરી દેવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય દ્વારા સ્કુલ ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને શાળામાં આર્થિક લાભ માટે પ્રવેશ આપવામાં આવતો હતો. એટલું જ નહી બાળકોને અન્ય શાળામાં પરીક્ષાઓ પણ અપાવવામાં આવતી હતી. આ સમગ્ર મામલે આખરે ડી.ઈ.ઓ.ને જાણ થતા કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સુર્યદેવ સિંઘ,  પ્રમુખઅંકિત સુર્યદેવ સિંઘ તથા સ્કૂલના આચાર્યા  ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ તમામ લોકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

 શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાતા વાલીઓને પોતાના બાળકના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓને તો શાળાની માન્યતા રદ થઈ ગઈ હોય તે બાબતની કોઈ પણ પ્રકારની જાણ સુધ્ધા નથી. જેથી માન્યતા રદ થઈ હોવા છતાં શાળા સંચાલક અને આચાર્ય દ્વારા વાલીઓને પણ અંધારામાં રાખવામાં આવ્યા હતા. શાળામાં જુનિયર કે.જી.થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. જેમાં 500થી પણ વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે હવે શાળા સંચાલક અને આચાર્ય સામે પોલીસ ફરિયાદ નોંધાઇ ચુકી છે અને માન્યતા પણ રદ થઈ ચૂકી છે. ત્યારે વિધાર્થીઓના ભવિષ્ય સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. એક તરફ પરીક્ષાઓ નજીક છે અને શાળા સામે કાર્યવાહી વાલીઓની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાના મંદિરમાં જ વિદ્યાર્થીઓ સાથે આટલી મોટી ઠગાઈ થતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાંદેર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

[yop_poll id=1639]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">