AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતીઓને મા અંબાના દર્શન કરવા સરળ બનશે, ST વિભાગ દ્વારા સુરત અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી

Surat News : આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને સુરતથી હજારોની સંખ્યામાં દર્શનાર્થી અંબાજી જતા હોય છે. ત્યારે મા અંબેના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે

સુરતીઓને મા અંબાના દર્શન કરવા સરળ બનશે, ST વિભાગ દ્વારા સુરત અંબાજી બસ સેવા શરૂ કરવામાં આવી
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 16, 2023 | 4:54 PM
Share

રાજ્ય સરકારના એસટી વિભાગ દ્વારા સુરતથી વધુ બસો શરૂ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ધાર્મિક યાત્રાઓ કરવામાં મુસાફરોને સુવિધા રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આજે એસટી નિગમ દ્વારા સુરત અને અંબાજી – ડીસા બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેને લઇને સુરતીલાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી આવી રહી છે અને સુરતથી હજારોની સંખ્યામાં દર્શનાર્થી અંબાજી જતા હોય છે. ત્યારે મા અંબેના ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ત્યારે મા અંબાના દર્શન કરવા માટેનો ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે. નવરાત્રી દરમિયાન વધુમાં વધુ ભક્તો માતાજીના દર્શન કરી શકશે. સામાન્ય દિવસોમાં પણ સુરત થી અંબાજી જનારા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે.

લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ

S.T સુરતથી અંબાજી અને ડીસા માટે ધાર્મિક યાત્રા લકઝરી બસને આજે લીલી ઝંડી અપાઈ છે. સુરતથી નવસારી માટે બ્રાન્ડ ન્યુ મીની બસને સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી શરૂ કરાઇ છે. આ અંગે એસટી નિયામક પી.વી. ગુર્જરે જણાવ્યું હતું કે મુસાફરોએ ખૂબ જ પસંદ કરેલી લક્ઝરી બસ પુશ-બેક (ટૂબાયટૂ)ની સુવિધા સાથે સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા સુરત-નવસારી માટે મીની બસની આજથી શરૂઆત કરાઈ છે.

મુસાફરોની સુખાકારીમાં ઉમેરો કરવામાં આવ્યો

તેમણે જણાવ્યુ કે, શહેરીજનો અને મુસાફર જનતા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગે તદ્દન ન્યુ બ્રાન્ડ (2-2) પુશબેક સુરત-અંબાજી અને સુરત-ડીસા તથા રોજિંદા અપડાઉન કરતા ટ્વીન સિટી માટે લક્ઝરી બસ તથા બ્રાન્ડ-ન્યુ મીની બસની સેવા શરૂ કરવામાં આવી હતી. મુસાફર જનતા અને શહેરીજનોને યાત્રા અને રોજીંદા અપ-ડાઉન માટે મુસાફરોની સુખાકારીમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">