AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ

પરિવારજનો (Family) એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ
તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 3:58 PM
Share

સુરતના કાપોદ્રા(Kapodra ) વિસ્તારમાં રહેતી એક પરિણતાનું ગઈકાલે સરથાણાના(Sarthana ) વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં(Hospital ) એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે બપોરે પરિણીતા ત્યાં જ મોતને ભેટતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ પતિ સહીત પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે ઓપરેશનના એક-બે કલાક સુધી પણ ભાન નહીં આવી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય પ્રિયંકાબેન વિવેકભાઈ અણઘનને એપેન્ડીક્ષના ઓપરેશન માટે ગતરોજ સરથાણા જકાતનાકા વિસ્તારની અહીં આવેલી એક ખાનગી  ઓર્થોપેડિક અને સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા ગઈકાલે બપોરે ત્રણથી સવા ત્રણ વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું.

પરિણીતાના મોત બાદ પરિવારજનો હોસ્પિટલની બહાર ભેગા થઇ ગયા હતા અને એફઆઈઆર તેમજ ગુનો નોંધવાની માગ કરી મૃતદેહ સ્વીકારતા ન હતા. જોકે સમાજના આગેવાનોએ તેમને પીએમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અંગે સમજાવતા ત્યાર બાદ રાત્રે 1 વાગ્યે મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેણીના પતિ વિવેકભાઈ સહીત પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે જ મોત થયું છે.

ડોકટર દ્વારા વધુ પડતો ડોઝ આપી દેવાના લીધે તે ઓપરેશન બાદ ભાનમાં જ આવી ન હતી. ભાનમાં નહીં આવતા અમે નર્સીંગ સ્ટાફને જાણ કરતા તેઓ પણ ઉદ્ધતતાઈભર્યું વર્તન કરતા હતા. પરિવારજનો દ્વારા પેનલ પીએમની માગ કરવાં આવી હતી. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયંકાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. હાલમાં તેમને કોઈ સંતાન નથી. સરથાણા પોલીસ મથકના પીએસઆઇ બીએમ જોગડાએ જણાવ્યું હતું કે પેનલમાં પીએમ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે.

નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
g clip-path="url(#clip0_868_265)">