Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ

પરિવારજનો (Family) એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

Surat : સરથાણા વિસ્તારમાં તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ
તબીબની બેદરકારીથી પરિણીતાના મોતનો આક્ષેપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 3:58 PM

સુરતના કાપોદ્રા(Kapodra ) વિસ્તારમાં રહેતી એક પરિણતાનું ગઈકાલે સરથાણાના(Sarthana ) વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં(Hospital ) એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે બપોરે પરિણીતા ત્યાં જ મોતને ભેટતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરંતુ પતિ સહીત પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે ઓપરેશનના એક-બે કલાક સુધી પણ ભાન નહીં આવી હતી અને અંતે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો એફઆઇઆરની માગ કરતા મોડી રાત સુધી મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. સમજાવટ બાદ 1 વાગ્યે પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો.

સરથાણા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય પ્રિયંકાબેન વિવેકભાઈ અણઘનને એપેન્ડીક્ષના ઓપરેશન માટે ગતરોજ સરથાણા જકાતનાકા વિસ્તારની અહીં આવેલી એક ખાનગી  ઓર્થોપેડિક અને સર્જીકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા ગઈકાલે બપોરે ત્રણથી સવા ત્રણ વાગ્યે તેમનું મોત નીપજ્યું હતું.

પરિણીતાના મોત બાદ પરિવારજનો હોસ્પિટલની બહાર ભેગા થઇ ગયા હતા અને એફઆઈઆર તેમજ ગુનો નોંધવાની માગ કરી મૃતદેહ સ્વીકારતા ન હતા. જોકે સમાજના આગેવાનોએ તેમને પીએમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અંગે સમજાવતા ત્યાર બાદ રાત્રે 1 વાગ્યે મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેણીના પતિ વિવેકભાઈ સહીત પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે એનેસ્થેસિયાના ડોકટરની ગંભીર ભૂલના લીધે જ મોત થયું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ડોકટર દ્વારા વધુ પડતો ડોઝ આપી દેવાના લીધે તે ઓપરેશન બાદ ભાનમાં જ આવી ન હતી. ભાનમાં નહીં આવતા અમે નર્સીંગ સ્ટાફને જાણ કરતા તેઓ પણ ઉદ્ધતતાઈભર્યું વર્તન કરતા હતા. પરિવારજનો દ્વારા પેનલ પીએમની માગ કરવાં આવી હતી. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયંકાબેનના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. હાલમાં તેમને કોઈ સંતાન નથી. સરથાણા પોલીસ મથકના પીએસઆઇ બીએમ જોગડાએ જણાવ્યું હતું કે પેનલમાં પીએમ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ ચાલુ છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">