Surat : દોઢ લાખના પગારદાર GST અધિકારીએ પાંચ હજારની લાંચ માંગી આબરૂ ગુમાવી, એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા
રૂા.3 લાખનું જીએસટી (GST) રિફંડ આપવા માટે સુશીલકુમારે રૂા.5 હજારની લાંચની માગંણી કરી હતી.
સુરત માં (Surat ) 1.40 લાખનો પગાર ધરાવતા જીએસટીના(GST) સુપ્રિ. અધિકરીએ રૂા.3 લાખનું જીએસટી રિફંડ (Refund )આપવા માટે વેપારી પાસેથી 5 હજારની લાંચ માંગી હતી,સુપ્રિટેન્ડન્ટએ આ રકમ પોતાની ઓફિસમાં જ સ્વીકારી હતી ત્યાં જ એસીબી પોલીસે ટ્રેપ ગોઠવીને સુપ્રિટેન્ડન્ટને પકડી પાડ્યો હતો. સુરતના નાનપુરામાં આવેલા સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલની પાસે એક ટેક્ષ કન્સલટન્ટ આવ્યા હતા. તેઓએ જે જીએસટી ભર્યું હતુ તેમાંથી રૂા.3 લાખ રિફંડ મેળવવાની કાર્યવાહી કરવાની હતી. આ માટે ટેક્ષ કન્સલટન્ટએ સુશીલકુમારને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, રૂા.3 લાખનું જીએસટી રિફંડ આપવા માટે સુશીલકુમારે રૂા.5 હજારની લાંચની માગંણી કરી હતી.
સુશીલ કુમાર રૂા.1.40 લાખનો પગાર ધરાવતા હોવા છતાં તેઓએ ટેક્ષ કન્સલટન્ટની પાસેથી 5 હજાર માંગ્યા હતા. આ મામલે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતા સુરત એસીબી પોલીસના પીએસઆઇ એન.એસ. દેસાઇ અને તેમની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટેક્ષ કન્સલટન્ટ રૂપિયા આપવા માટે ગયા હતા અને સુશીલકુમારે રૂપિયા સ્વીકારતાની સાથે જ પોલીસ ત્રાટકી હતી, એસીબીએ સુશીલકુમારને પાંચ હજાર લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા. એસીબીએ સુશીલકુમારની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.
પોલીસ બાદ એસીબીના છટકામાં GST અધિકારી આવી રહ્યા છે
ગુજરાત ની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સતત એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા કેસો કરવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓ સામે એક પછી એક છટકા ગોઠવી કેશો કરી તેમની મિલકતો જપ્ત પણ કરવામાં આવતી હોય છે સૌથી વધુ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે કેસો પોલીસના જોવા મળતા હોય છે ત્યારબાદ બીજા નંબરે નવો વિભાગ શરૂ જે થયો છે તે છે જીએસટી વિભાગ. તે વિભાગની અંદર પણ એક પછી એક સુરતમાં એન્ટીકરપ્શન બ્યુરોના હાથે અધિકારીઓ લાજ લેતા ઝડપાઈ રહ્યા છે.
વધુ એક વખત સુરત જીએસટી વિભાગના એક અધિકારી 5,000 ની લાત લેતા ઝડપાયા આમ જોવા જઈએ અથવા તો લોકોની જો વાત માનીએ તો ભ્રષ્ટાચાર બીજી કેટલીક રેવન્યુ ડિપાર્ટમેન્ટ ની ઓફિસો કે પછી બીજી સરકારી ઓફિસોને અંદર ભ્રષ્ટાચાર વધુ જોવા મળતો હોય છે પણ તેની અંદર ફરિયાદ ન મળવાના કારણે એ શોધ થતા નથી