Surat: સુરતમાં બીજા દિવસે 40,886 વ્યક્તિઓને રસી અપાઈ જેની સામે કોરોનાના ફક્ત 14 કેસ નોંધાયા
Vaccination ના મહાઅભિયાનમાં મંગળવારે પણ શહેરના 230 કેન્દ્રો પર સૌથી વધુ વેક્સિનેશન નોંધાયું હતું. તેની સાથે જ 16 મહિના બાદ સુરતમાં કોરોનાના ફક્ત 14 કેસ જ નોંધાયા હતા.
Vaccination ના મહાઅભિયાનમાં મંગળવારે પણ શહેરના 230 કેન્દ્રો પર સૌથી વધુ વેક્સિનેશન નોંધાયું હતું. તેની સાથે જ 16 મહિના બાદ સુરતમાં કોરોનાના ફક્ત 14 કેસ જ નોંધાયા હતા. અગાઉ એપ્રિલમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ, હેલ્થ વર્કર, સિનિયર સિટીઝનોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સંખ્યા અંદાજે 30 થી 40 હજાર જેટલી હોવાનું પાલિકાના અધિકારીઓનું કહેવું છે.
આ તમામના 83 દિવસો પૂરા થતા હોવાથી બીજો ડોઝ આગામી ગુરુ, શુક્ર અને શનિવારે અપાશે એટલે આ દિવસોમાં રસી લેનારાઓની સંખ્યા વધશે. મંગળવારે પણ સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક રસીકરણ કરવામાં આવ્યું હતું. આંકડા પ્રમાણે જોવા જઈએ તો આજે 40,886 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી. જેમાંથી 32,898 વ્યક્તિઓને પહેલો ડોઝ, જ્યારે 7988 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
ઝોન પ્રમાણે આંકડા જોઈએ તો
સેન્ટ્રલ ઝોનમાં 3786
વરાછા ઝોન એ માં 6095
વરાછા ઝોન બી માં 4817
રાંદેર ઝોનમાં 5470
કતારગામ ઝોનમાં 5650
લિંબાયત ઝોનમાં 4864
ઉધના ઝોનમાં 5406
અઠવા ઝોનમાં 4798
તે જ પ્રમાણે આજે નોંધાયેલા કોરોનાના દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો..
સેન્ટ્રલ ઝોનમાં 1
વરાછા ઝોન એ માં 2
વરાછા ઝોન બી માં 1
રાંદેર ઝોનમાં 3
કતારગામ ઝોનમાં 2
લિંબાયત ઝોનમાં 2
ઉધના ઝોનમાં 1
અઠવા ઝોનમાં 2
કુલ કોરોનાના 14 કેસો નોંધાયા છે. જેની સામે 61 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી. રિકવરી રેટ 97.33 % નોંધાયો છે. આમ કોરોનાના દર્દીઓની સંખ્યા સામે હવે વેકસિન લેનારા લોકોની સંખ્યા વધતા રાહતના સમાચાર સામે આવ્યા છે.