Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી

SLBCના ડેટા અનુસાર, ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ (Housing Finance) કંપનીઓએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલી સબસિડીમાં સૌથી વધુ રૂ. 5035.08 કરોડની સબસિડી આપી છે.

Surat : સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ એફોર્ડેબલ મકાનો ખરીદ્યા, ખાનગી બેંકોએ સરકાર કરતા વધુ સબસિડી ચૂકવી
પ્રધાનમંત્રી આવાસ યોજના (ફાઈલ ઇમેજ )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:13 AM

પ્રધાનમંત્રી(PM) આવાસ યોજના હેઠળ આપવામાં આવતી સબસિડી (Subsidy )યોજના સાત વર્ષ પછી 31 માર્ચથી બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં (Gujarat )સાત વર્ષમાં 4.17 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો હતો. તેમણે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં મકાનો ખરીદીને 10 હજાર કરોડની સરકારી સબસિડીનો લાભ લીધો. આ આંકડા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. સમિતિના જણાવ્યા અનુસાર સબસિડી આપવામાં ખાનગી બેંકો જાહેર ક્ષેત્રની બેંકો કરતા આગળ હતી. ઘર ખરીદનારાઓને હોમ લોન પર રૂ. 2.67 લાખ સુધીની સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ આ સ્કીમ 31 માર્ચ, 2022થી બંધ કરી દેવામાં આવી છે.

આવી સ્થિતિમાં, રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટિ દ્વારા નોંધાયેલા સાત વર્ષ દરમિયાન વિવિધ બેંકો અને આ યોજનાના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલી લોન અને સબસિડીના આંકડા જોઈએ તો કુલ 4.17 લાખ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. અને 9946.33 કરોડ રૂપિયાની સબસિડી મળી છે.

SLBCના ડેટા અનુસાર, ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલી સબસિડીમાં સૌથી વધુ રૂ. 5035.08 કરોડની સબસિડી આપી છે. રાજ્યમાં 61 જેટલી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓએ 2.17 લાખ લાભાર્થીઓને સબસિડીનો લાભ આપ્યો છે. તે જ સમયે, સહકારી બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાંથી લોન લઈને આ યોજનાનો લાભ લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. તેઓએ માત્ર 344 કરોડ રૂપિયાની સબસિડી બહાર પાડી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ખાનગી બેંકો રહી આગળ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર ખરીદનારાઓએ સરકારી હોમ લોન કરતાં ખાનગી બેંકોને પ્રાધાન્ય આપ્યું હતું. માહિતી અનુસાર, આ યોજના હેઠળ 1.10 લાખ લોકોએ ખાનગી બેંકો પાસેથી 2682.63 કરોડ રૂપિયાની લોન લીધી હતી. જ્યારે 79,550 લોકોએ જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી લોન લીધી હતી. જે રૂ. 1884 કરોડ હતી. તે જ સમયે, એક્સિસ બેંકે સબસિડી જારી કરવાના મામલામાં સૌથી વધુ 1289.72 કરોડ રૂપિયાની સબસિડી જારી કરી હતી. તે પછી ICICI દ્વારા 811.47 કરોડ રૂપિયા અને બંધન બેંક દ્વારા 30256 કરોડ રૂપિયા સબસિડી તરીકે બહાર પાડવામાં આવ્યા હતા.

2.39 લાખ સુધીની સબસિડીનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા સાત વર્ષ પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના લાગુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ઘર ખરીદનારાઓને મળેલી સબસિડીનું મૂલ્ય 2.39 લાખ રૂપિયા આંકવામાં આવ્યું છે. યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ વખત ઘર ખરીદનારા આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો હતો. રાજ્યમાં કુલ 4.17 લાખ લોકો તેના લાભાર્થી હતા અને તેમને રૂ. 9946. કરોડની સબસિડી આપવામાં આવી હતી. એટલે કે, દરેક લાભાર્થી. 2.39 લાખનો નફો થયો.

આ પણ વાંચો-SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી

આ પણ વાંચો-ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">