AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લીંબાયતમાં થયેલી 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની પોલીસે કરી ધરપકડ

સુરતના (Surat) લીંબાયત સ્થિત મંગલપાંડે હોલ પાસે સચ્ચેલાલ મોર્યા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ધરાવે છે. ગત 4 એપ્રિલના રોજ બપોરના 4 થી 5 વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર ત્રણ ઈસમો ઘુસી આવ્યા હતા.

Surat : લીંબાયતમાં થયેલી 2.75 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, બે આરોપીની પોલીસે કરી ધરપકડ
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 08, 2023 | 5:51 PM
Share

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફરની દુકાનમાં હથિયાર બતાવી 2.75 લાખની લૂંટની ઘટનામાં ડીસીબી પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આ ઘટનામાં બે આરોપીને ઝડપી પાડ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 24 હજાર તેમજ લૂંટમાં વપરાયેલી મોપેડ મળી કુલ 94 હજારની મત્તા કબજે કરી હતી.

આ પણ વાંચો-Breaking News: સુરતના આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં 4 વ્યક્તિઓ ફસાયા, માસૂમ બાળક સહિત 4ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

બંદૂકની અણીએ થઇ હતી લૂંટ

સુરતના લીંબાયત સ્થિત મંગલપાંડે હોલ પાસે સચ્ચેલાલ મોર્યા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામથી દુકાન ધરાવે છે. ગત 4 એપ્રિલના રોજ બપોરના 4 થી 5 વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર ત્રણ ઈસમો ઘુસી આવ્યા હતા અને સંચાલકના છાતી તથા લમણાના ભાગે પિસ્ટલ મુકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ટેબલના ખાનામાંથી 2.75 લાખની રોકડ રકમ લૂંટી ભાગી છૂટ્યા હતા. લૂંટની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ત્રણ ઈસમો મોપેડ લઈને આવ્યા હતા અને લૂંટ કરીને ભાગતા નજરે ચડ્યા હતા.

એટલું જ નહી લૂંટ કરીને ભાગતા સમયે લૂંટારુઓની મોપેડ પણ સ્લીપ મારી ગયી હતી, જયારે સંચાલક બહાર આવીને તેને પથ્થર મારી રોકતો હોવાનું દેખાયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે આ બનાવમાં ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા

આ ઘટનામાં આરોપીને પકડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર 22 વર્ષીય સોનુંકુમાર દાનપાલ વર્મા અને વેડરોડ વિસ્તારમાં રહેતા અને ચાઇનીઝની લારી ચલાવતા 21 વર્ષીય અભિષેકસિંગ ઉર્ફે ચાઇનીસ તેજબહાદુરસિંગને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ અને 24 હજારની રોકડ મળી કુલ 94 હજારની મત્તા કબજે કરી હતી. તેમજ ઝડપાયેલા આરોપી સોનુકુમાર વર્મા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ભૂતકાળમાં તેની સામે સલાબતપુરા પોલીસ મથકમાં ઘરફોડ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો

પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે સન્ની ઉર્ફે પ્રધાન ડીંડોલી વિસ્તારમાં આવેલા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે અગાઉ ગયો હતો, તે સમયે તેણે દુકાનમાં વધારે પ્રમાણમાં રૂપિયા જોયા હતા જેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો દરમ્યાન ગત 4 એપ્રિલના રોજ દુકાનની આજુ બાજુમાં રેકી કરી મોપેડ પર આવી સોનું વર્મા, સન્ની પ્રધાન અને અભિષેક ચાઇનીઝએ દુકાનમાં ઘુસી સન્ની ઉર્ફે પ્રધાને સંચાલકના માથા પર પિસ્ટલ મુકીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયાની લૂંટ કરી હતી અને ત્યારબાદ નાસી છુટ્યા હતા

સુરત ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે અગાઉ સલાબતપુરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી દુકાનમાં ડીસેમ્બર મહિનામાં 51 લાખની ચોરી થઇ હતી. જેમાં એક આરોપી સોનું વર્માને ઉતર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. આ જ આરોપી જેલમાંથી છૂટી લીંબાયતમાં લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા જ આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં સની પ્રધાન નામનો ઇસમ માસ્ટર માઈન્ડ છે. તેને પકડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
g clip-path="url(#clip0_868_265)">