AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર

અલ્તાફ  અગાઉ ઘણી વખત આ પ્રકારે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે  અને પુનઃ આ પ્રકારે જ ગૌવંશની કતલો કરવામાં આવતી હોય છે. જેને પગલે આ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

Surat: સુરતમાં ગૌવંશની કતલથી આક્રોશ, 1800 કિલો ગૌમાંસ જપ્ત, કસાઇઓ ફરાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 9:40 AM
Share

સુરતમાં ગૌવંશ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ચોક બજારમાં ગૌરક્ષકોએ સ્થાનિક પોલીસ સાથે મળીને કુખ્યાત કસાઇ અલ્તાફ પૂંઠાવાલાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમ્યાન પોલીસને દરોડાના સ્થળેથી 1800 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું.

અલ્તાફ પૂંઠાવાલાએ તેમના જ ઘરમાં 8 જેટલી નિર્દોષ ગાયોની કતલ કરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે કે એક વાછરડાને બચાવવામાં પોલીસ અને ગૌરક્ષકોને સફળતા મળી હતી. પોલીસે 5 લાખ થી વધુનો ગૌ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરત ચોક બજારમાં પોલીસે કરી  રેડ

પોલીસે સુરતના  ચોક બજાર વિસ્તારમાં આવેલા કસાઈ અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં દરોડા પાડયા ત્યારે પોલીસ અને ગૌરક્ષકોને જોઈને અલ્તાફ પૂંઠાવાલા સહિતના આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે ગૌરક્ષકોમાં પણ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. નિર્દોષ ગૌવંશોની હત્યા કરીને અઢળક કમાણી કરતાં આરોપી પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી થાય અને તેમના ગેરકાયદે મકાન પર પાલિકા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.

આ પણ વાંચો:

કુખ્યાત કસાઇ અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં ગૌરક્ષકો અને પોલીસનો દરોડો

મહત્વનું છે કે આરોપી અલ્તાફ પૂંઠાવાલાને ત્યાં અગાઉ પણ ગૌવંશની હત્યાને પગલે દરોડો પાડવામાં આવ્યો હતો, પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઈને અલ્તાફ પૂંઠાવાલા દર વખતે છૂટી જાય છે. અલ્તાફ  અગાઉ ઘણી વખત આ પ્રકારે ઘટના સ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે  અને પુનઃ આ પ્રકારે જ ગૌવંશની કતલો કરવામાં આવતી હોય છે. જેને પગલે આ પ્રકારના ગેરકાયદેસર કૃત્ય કરનારા આરોપીઓની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">