Surat: સ્માર્ટ સિટીના સત્તાધીશો, જરા આ તરફ પણ નજર કરજો, અહીં કોરોના કરતા પણ બદતર સ્થિતિમાં લોકો રહેવા મજબુર

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા ઉગત આવાસમાં લોકો નર્ક સમાન પરિસ્થિતમાં રહેવા મજબુર બન્યા છે. છેલ્લા 15 દિવસથી અહીં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. પારાવાર ગંદકી જોવા મળી રહી છે. છતાં પણ આજદિન સુધી અહીં કોઈ સફાઈ કામગીરી કરવામાં આવી નથી.

Surat: સ્માર્ટ સિટીના સત્તાધીશો, જરા આ તરફ પણ નજર કરજો, અહીં કોરોના કરતા પણ બદતર સ્થિતિમાં લોકો રહેવા મજબુર
ગંદકી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Aug 07, 2021 | 5:24 PM

Surat: હાલ રાજ્ય સહિત શહેરોમાં કોરોનાના કેસો (Corona Cases) ઓછા થઈ જતા તંત્રને મોટી રાહત થઈ છે. પરંતુ બીજી બાજુ મોટો પડકાર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને ઉભો થયો છે. થોડા દિવસ પહેલા જ સુરતના વરાછા સહિતની અનેક સોસાયટીઓમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતા મનપાનું આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું હતુ. ત્યાં બીજી તરફ સામા ચોમાસે મચ્છરજન્ય રોગચાળાની પણ તેટલી જ ભીતિ દેખાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુરતના જહાંગીરાબાદ પાસે આવેલા સુરત મહાનગરપાલિકાના આવાસની હાલત બદથી પણ બદતર છે. અહીં ગંદકીના ઢગલા અને સ્વચ્છતાના અભાવે લોકો હેરાન થઈ ગયા છે. છેલ્લા 15 દિવસ કરતા પણ વધુ સમયથી લોકો નરકાગાર જેવી સ્થિતિમાં રહેવા માટે મજબુર બન્યા છે. એવું નથી કે આ માટેની ફરિયાદ સ્થાનિકો દ્વારા જે તે અધિકારીને નથી કરવામાં આવી. 15 દિવસમાં અસંખ્ય વખત ઝોન ઓફિસોમાં ફરિયાદ કરવામાં આવી છે, છતાં કોઈ સાંભળવા તૈયાર નથી.

ઉગત આવાસમાં રહેતા સ્થાનિક સુરેશભાઈ ખીમસુરીયાના જણાવ્યા પ્રમાણે હાલ શહેરમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. પરંતુ તેના કરતા પણ વધારે જોખમ અમારે અહીં રહેવામાં લાગી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી અહીં ગટરનું ગંદુ પાણી ઉભરાય છે. સાફ સફાઈ કરવા માટે પણ કોઈ આવતું નથી. મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે બાળકો પણ બીમાર પડી ગયા છે. અમે જયારે ઝોનમાં ફરિયાદ કરીએ છીએ તો ઝોનવાળા કહે છે કે જંતુનાશક અધિકારીના હેઠળ આ કામગીરી આવે છે અને અધિકારીનો સંપર્ક કરીએ તો તેમના દ્વારા એવું કહેવામાં આવે છે કે આ કામગીરી ઝોન કક્ષાએ થાય છે.

આમ અધિકરીઓ એકબીજા પર ખો ખોની રમત રમે છે પણ તેના કારણે અહીં સ્થાનિકોને રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ઝોનના અધિકારીઓનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આ ફરિયાદ આવી છે. અમે શક્ય હોય એટલું ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. જોકે ખાસ વાત એ છે કે હાલ ચોમાસુ માથે છે તેવામાં કોરોનાના કેસો પણ ઘટી ગયા છે, ત્યારે મનપા તંત્રે મચ્છરજન્ય અને પાણીજન્ય વધુ ન વકરે તેના પર ધ્યાન આપવાની તાતી જરૂર છે. નહીં તો આ રોગચાળાનો ભરડો વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ પણ વાંચો: Surat News: ગણપતિમાં આ વર્ષે કોરોના, લોકડાઉન અને તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનવાના શરૂ

Latest News Updates

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">