AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને તો સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ

પ્રધાનમંત્રીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થઈ ગયા બાદ સમગ્ર દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં (Surat) શાળાના બાળકોએ હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.

સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને મૌન પાળીને તો સિવિલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરાઈ
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 30, 2022 | 1:44 PM
Share

PM મોદીના માતા હીરાબાનું સવારે સાડા ત્રણ કલાકે 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન મોદીએ જાતે જ આ અંગે ટ્વિટ કરીને માહિતિ આપી હતી. શતાયુ હીરાબાના નિધનના સમાચાર મળતા જ PM નરેન્દ્ર મોદી તાત્કાલિક ગાંધીનગર પહોંચી ગયા હચા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના રાયસણ સ્થિત તેમના ભાઇ પંકજ મોદીના નિવાસસ્થાને પહોંચીને માતા હીરાબાના અંતિમદર્શન કર્યા હતા. વ વડાપ્રધાન માતાને અંતિમ સંસ્કાર આપ્યા બાદ નિર્ધારિત કાર્યક્રમોમાં જોડાયા હતા. PM મોદીના માતાના  નિધન બાદ હવે ગુજરાતભરમાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. દેશભરમાંથી હીરા બા ને લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે ત્યારે સુરતમાં શાળાના બાળકોએ મૌન પાળી હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી.તો બીજી તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રીના માતા હીરાબાનું આજે વહેલી સવારે નિધન થઈ ગયા બાદ સમગ્ર દેશભરમાંથી નેતાઓ અને લોકો હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં શાળાના બાળકોએ હીરા બાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. સુરતના લીંબાયત સ્થિત કમરૂ નગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પક્ષીવિદ ડો. સલીમ અલી ઉર્દૂ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૩૧માં વિદ્યાર્થીઓએ પ્રાર્થના સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાને બે મિનીટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. દરેક વિદ્યાર્થીઓ પોતાના હાથમાં હીરા બા ની તસ્વીરને લઈને પ્રાર્થનામાં ઉભા હતા અને ઈશ્વર હીરા બા ની આત્માને શાંતિ અર્પે તે માટે પ્રાર્થના કરી શ્રધાંજલિ અર્પણ કરી હતી.

સિવિલ નર્સિંગ સ્ટાફ દ્વારા અપાઈ શ્રદ્ધાંજલિ

સુરતમાં બાળકોએ પણ હીરા બા ની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રધાંજલિ અપર્ણ કરી હતી ત્યારે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા હીરા બા ને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. તમામ નર્સિંગ સ્ટાફના લોકો એકઠા થયા હતા અને હીરા બા ને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. તેમજ હીરા બાને ઈશ્વર શાંતિ અર્પે તે માટે તમામ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">