સુરતમાં વેસુના ગરબા આયોજનમાં હોબાળો ! મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ઉહાપોહ મચી ગયો, જુઓ VIDEO

હોબાળાને પગલે પોલીસ (Surat Police) કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો,જો કે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.

સુરતમાં વેસુના ગરબા આયોજનમાં હોબાળો ! મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ઉહાપોહ મચી ગયો, જુઓ VIDEO
Ruckus during Navratri event
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 04, 2022 | 12:16 PM

નવરાત્રીનો (Navratri)  પર્વ સમાપન પર છે, ત્યારે સુરતમાં વેસુ (Vesu) ખાતે આવેલ ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે આઠમની રાત્રીએ ભારે હોબાળો મચ્યો હતો. મળતી માહિતી મુજબ નવરાત્રીના તહેવારમાં વિધર્મીઓને જો પ્રવેશ આપવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ (protest) કરવામાં આવશે તેવી ચીમકી પહેલાથી જ હિન્દૂ સંગઠનો દ્વારા ઉચ્ચારવામા આવી હતી. જો કે સુરતમાં (Surat) પણ ગઈકાલે આ જ મામલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.

જુઓ વીડિયો

વિધર્મી બાઉન્સરો રાખવાના મુદ્દે વિવાદ સર્જાયો

વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) અગ્રણીએ આ મામલે જણાવ્યું હતુ કે, અમને એવો મેસેજ મળ્યો હતો કે વેસુ સ્થિત ઠાકોરજીની વાડીના ગરબા આયોજનમાં જે બાઉન્સરો મુકવામાં આવ્યા છે, એ તમામ વિદ્યર્મીઓ જ છે. આવા એક બે નહિ પણ 50 બાઉન્સરો વિધર્મી હતા. જેની સામે અમારો વિરોધ હતો. અમે આયોજકોને આ બાઉન્સરોને દૂર કરવા રજુઆત કરવા માટે ગયા હતા. જો કે આયોજકો કોઈ બાબતે અમારી સાથે સંમત થયા હતા. આ મામલો ઉગ્ર બનતા કેટલાક આગેવાનો દ્વારા બાઉન્સરોને (Bouncer) માર પણ મારવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ હોબાળામાં થોડા સમય માટે ગરબા અટકાવવાની પણ ફરજ પડી હતી. મારામારીના દ્રશ્યો સર્જાતા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસને ફોન કરવામાં આવતા ગરબા સ્થળ પર પહોંચીને તેમણે પરિસ્થિતિને કાબુમાં કરી હતી. તમને જણાવી દઈએ કે, આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">