AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : કોરોનાના વધતા કેસોથી Christmas અને New Yearના આયોજનો પર લાગી બ્રેક

Christmas અને New Yearની ઉજવણી માટે લોકો ઘણા બધા આયોજનો કરતા હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નવા વર્ષને આવકારતા હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે આયોજનો થઈ શક્યા નથી

SURAT : કોરોનાના વધતા કેસોથી Christmas અને New Yearના આયોજનો પર લાગી બ્રેક
Rising cases of Corona hampered Christmas and New Year's plans
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:20 PM
Share

SURAT : ગત વર્ષે કોરોનાના કારણે 31stની ઉજવણી થઈ શકી ન હતી. જોકે આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા લોકોએ New Yearની ઉજવણી માટે તૈયારીઓ કરી હતી.પંરતુ ફરી એકવાર ઓમિક્રોન સહિત કોરોનાના કેસોમાં વધારો થતાં ઘણા લોકોએ ન્યુયરની પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે.તેવામાં મોટાભાગના લોકો હવે મિત્રો અને સગા સંબંધીઓ સાથે પોતાના ઘરે અને ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરશે.

Christmas અને New Yearની ઉજવણી માટે લોકો ઘણા બધા આયોજનો કરતા હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નવા વર્ષને આવકારતા હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે આયોજનો થઈ શક્યા નથી. જો કે થોડા સમય પહેલા કોરોનાના કેસો ઘટતા લોકોને નવા વર્ષની ઉજવણીની આશા બંધાઈ હતી. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે.તે જોતા ઘણા લોકોએ ઓમિક્રોનના ભયના કારણે સોશિયલ ગેધરિંગ અને પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે. તેના બદલે હવે લોકો પોતાના ઘરે અને ફાર્મ હાઉસ પર પરિવાર સાથે ઉજવણી કરશે.

સુરતના એક સ્થાનિકે કહ્યુ “અમે દર વર્ષે નવા વર્ષની ઉજવણી માટે મિત્રો સાથે મળીને પાર્ટીનું આયોજન કરતા હોઈએ છે.પરંતુ છેલ્લા એક વર્ષથી આ શક્ય થઈ શક્યું નથી.આ વર્ષે વિચાર્યું હતું પંરતુ ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે અમે આયોજન નથી કરવાના.અમે માત્ર પરિવાર સાથે અમારા ફાર્મહાઉસ પર જ ઉજવણી કરીશું. પરિવારમાં નાના બાળકો પણ હોવાથી અમે ભીડભાડમાં જવાનું ટાળીયે છે.”

બીજી તરફ અન્ય એક આયોજકે તંત્ર સામે રોષ વ્યકત કરતા કહ્યું “હાલમાં જ્યારે વનિતા વિશ્રામ ખાતે 2 થી 3 લાખ લોકો દરરોજ ભેગા થતા હતા.ત્યારે કોરોના માટે તેમણે કોઈએ કઈ વિચાર્યું નહીં.પરંતુ અમે 200 કે 300 લોકોના આયોજનો કરીએ ત્યારે તંત્ર દ્વારા ના પાડવામાં આવે છે.ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વેકસીનનું સર્ટિફિકેટ આ તમામ બાબતો તેઓને દેખાય છે.”

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">