AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : કોરોનાના વધતા કેસોથી Christmas અને New Yearના આયોજનો પર લાગી બ્રેક

Christmas અને New Yearની ઉજવણી માટે લોકો ઘણા બધા આયોજનો કરતા હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નવા વર્ષને આવકારતા હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે આયોજનો થઈ શક્યા નથી

SURAT : કોરોનાના વધતા કેસોથી Christmas અને New Yearના આયોજનો પર લાગી બ્રેક
Rising cases of Corona hampered Christmas and New Year's plans
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 24, 2021 | 10:20 PM
Share

SURAT : ગત વર્ષે કોરોનાના કારણે 31stની ઉજવણી થઈ શકી ન હતી. જોકે આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા લોકોએ New Yearની ઉજવણી માટે તૈયારીઓ કરી હતી.પંરતુ ફરી એકવાર ઓમિક્રોન સહિત કોરોનાના કેસોમાં વધારો થતાં ઘણા લોકોએ ન્યુયરની પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે.તેવામાં મોટાભાગના લોકો હવે મિત્રો અને સગા સંબંધીઓ સાથે પોતાના ઘરે અને ફાર્મહાઉસમાં નવાવર્ષની ઉજવણી કરશે.

Christmas અને New Yearની ઉજવણી માટે લોકો ઘણા બધા આયોજનો કરતા હોય છે અને ખૂબ જ ધામધૂમપૂર્વક નવા વર્ષને આવકારતા હોય છે.પંરતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે આયોજનો થઈ શક્યા નથી. જો કે થોડા સમય પહેલા કોરોનાના કેસો ઘટતા લોકોને નવા વર્ષની ઉજવણીની આશા બંધાઈ હતી. પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે.તે જોતા ઘણા લોકોએ ઓમિક્રોનના ભયના કારણે સોશિયલ ગેધરિંગ અને પાર્ટીના આયોજનો રદ્દ કર્યા છે. તેના બદલે હવે લોકો પોતાના ઘરે અને ફાર્મ હાઉસ પર પરિવાર સાથે ઉજવણી કરશે.

સુરતના એક સ્થાનિકે કહ્યુ “અમે દર વર્ષે નવા વર્ષની ઉજવણી માટે મિત્રો સાથે મળીને પાર્ટીનું આયોજન કરતા હોઈએ છે.પરંતુ છેલ્લા એક વર્ષથી આ શક્ય થઈ શક્યું નથી.આ વર્ષે વિચાર્યું હતું પંરતુ ફરી કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેના કારણે અમે આયોજન નથી કરવાના.અમે માત્ર પરિવાર સાથે અમારા ફાર્મહાઉસ પર જ ઉજવણી કરીશું. પરિવારમાં નાના બાળકો પણ હોવાથી અમે ભીડભાડમાં જવાનું ટાળીયે છે.”

બીજી તરફ અન્ય એક આયોજકે તંત્ર સામે રોષ વ્યકત કરતા કહ્યું “હાલમાં જ્યારે વનિતા વિશ્રામ ખાતે 2 થી 3 લાખ લોકો દરરોજ ભેગા થતા હતા.ત્યારે કોરોના માટે તેમણે કોઈએ કઈ વિચાર્યું નહીં.પરંતુ અમે 200 કે 300 લોકોના આયોજનો કરીએ ત્યારે તંત્ર દ્વારા ના પાડવામાં આવે છે.ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને વેકસીનનું સર્ટિફિકેટ આ તમામ બાબતો તેઓને દેખાય છે.”

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">