પેપરલીક કૌભાંડ : વાડિયા કોલેજના આચાર્ય સહીત 13 વ્યક્તિઓનો સ્ટાફ પરીક્ષા સુધી સસ્પેન્ડ, ફોજદારી કાર્યવાહી માટે અરજી

કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને (Report ) બંધ કવરમાં યુનિવર્સિટીમાં રજુ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટને હવે આગામી સંભવત 12 મે નાં રોજ યોજાનાર સિન્ડીકેટની બેઠકમાં રજુ કરવામાં આવશે.

પેપરલીક કૌભાંડ : વાડિયા કોલેજના આચાર્ય સહીત 13 વ્યક્તિઓનો સ્ટાફ પરીક્ષા સુધી સસ્પેન્ડ, ફોજદારી કાર્યવાહી માટે અરજી
Veer Narmad South Gujarat University (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:13 AM

પેપર ફુટવાની (Paper Leak ) ઘટનાને પગલે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું હોવાથી અંતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (VNSGU) રજિસ્ટ્રારે ઉમરા પોલીસમાં (Police ) અરજી કરીને કાનુની કાર્યવાહી માંગણી કરી છે. બીજી તરફ વાડિયા વિમેન્સ કોલેજના આચાર્ય અશોક દેસાઇ, પરીક્ષા સુપ્રિટેન્ડન્ટ  સહિતનાં 13 વ્યકિતનાં સ્ટાફને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફુટ્યા બાદ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જયદિપ ચૌધરીએ ઉમરા પોલીસ મથકમાં અરજી કરી કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા ઉમરા પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં યુનિવર્સીટીના નિયમ મુજબ પ્રંશપત્રો સીલબંધ કોલેજમાં પહોંચાડવામાં આવતા હોય છે.

આ પ્રશ્નપત્રો પરીક્ષાનાં સમયનાં 10 મીનીટ પહેલા વર્ગખંડમાં સીલબંધ પેકેટ સાથે અને વિષય પ્રમાણે પહોંચાડવાનાં હોય છે. અને વર્ગખંડમાં સુપરવાઇઝર દ્વારા પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં યુનિવર્સિટીનાં નિયમ મુજબ પ્રશ્નપત્રો સીલબંધ કોલેજમાં પહોંચાડવામાં આવતા હોય છે, આ પ્રશ્નપત્રો પરીક્ષાનાં સમયના 10 મિનિટ પહેલા વર્ગખંડમાં સીલબંધ પેકેટ ખોલીને વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જો કે કોલેજ દ્વારા એક દિવસ પહેલા જ સીલ ખોલી નાંખવામાં આવ્યું હતુ. જેની તપાસની માંગણી પોલીસ અરજીમાં કરવામાં આવતા પોલીસે પણ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત ઇન્ચાર્જ રજિસ્ટ્રારે વાડિયા વિમેન્સ કોલેજનાં આચાર્ય અશોક દેસાઈ સહિત કુલ 13 કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

જેથી વાડિયા વિમેન્સ કોલેજમાં પરીક્ષા દરમ્યાન બાહ્ય સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં જોવા જઇએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 20 એપ્રિલનાં રોજ લેવામાં આવેલી બી.એ સેમેસ્ટર- 6માં હિસ્ટ્રી, હોમસાયન્સ, ઈંગ્લીશ અને ગુજરાતીનું પ્રશ્નપત્ર જયારે જયારે બી.કોમ સેમેસ્ટર 6 માં ઇન્ડિયન ઇકોનોકિસનું પ્રશ્નપત્ર ફુટી ગયુ હોવાની ફરિયાદને પગલે કરવામાં આવેલી તપાસમાં વાડિયા વિમેન્સ કોલેજમાં પરીક્ષા સુપ્રિટેન્ડન્ટએ શરતચુકથી 19 એપ્રિલનાં રોજ જ બંડલ ખોલી નાંખ્યું હોવાનું સામે આવ્યું હતુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ઝેડ.એફ.વાડીયા વિમેન્સ કોલેજનાં સ્ટાફની આ બેદરકારીનાં કારણે યુનિવર્સિટીએ 20 એપ્રિલની પરીક્ષા રદ કરવી પડી હતી, તેમજ 13 સભ્યોની તપાસ કમિટીએ આ મામલે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. જેમાં કોલેજનાં આચાર્ય તેમજ પરીક્ષા સુપ્રિટેન્ડેન્ટ સહિતનાં શૈક્ષણિક સ્ટાફનાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા, તેમજ કમિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટને બંધ કવરમાં યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવ્યો હતો, આ રિપોર્ટને હવે આગામી સંભવત 12 મે નાં રોજ આયોજીત સિન્ડીકેટની બેઠકમાં રજુ કરવામાં આવશે અને સિન્ડીકેટ દ્વારા કોલેજ સામે નિયમ મુજબનાં શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે.

આ પણ વાંચો : Surat: નીમકોટેડ યુરિયા ખાતરની કાળા બજારથી ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં વેચતા 6 આરોપીઓની ઇકોસેલ દ્વારા ધરપકડ

આ પણ વાંચો : Surat : સુરત હાઇવે પર ટ્રાફિક અને અકસ્માત નિવારણ માટે બેઠક યોજાઇ, ટ્રાફિક નિયમન માટે પ્રેઝન્ટેશન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">