સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન

ઓન ધ સ્પોટ વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 230 વેક્સીનેશન સેન્ટર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં 22 જૂન એટલે કે આજ બપોર સુધીમાં 20 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી.

સકારાત્મક: ઓન ધ સ્પોટ વેક્સિનેશનના બીજા દિવસે સુરતમાં બપોર સુધી આટલા હજાર લોકોને વેકસિન
ઓન ધ સ્પોટ વેક્સિનેશન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 22, 2021 | 3:36 PM

સુરત શહેરમાં ઓન ધ સ્પોટ વેક્સિનેશનને શહેરીજનો તરફથી સતત બીજા દિવસે પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે પણ શહેરના તમામ વેક્સીનેશન સેન્ટર પર વહેલી સવારથી રસી લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

ઓન ધ સ્પોટ વેક્સિનેશન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા 230 વેક્સીનેશન સેન્ટર પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યાં 22 જૂન એટલે કે આજ બપોર સુધીમાં 20 હજાર લોકોને રસી મૂકવામાં આવી હતી. નોંધનીય છે કે ગઈકાલથી સુરત મનપા દ્વારા ઓન ધ સ્પોટ વેકસીનેશનની કામગીરી શરૂ કરાઇ હતી. જ્યાં પહેલા દિવસે પ્રથમ ત્રણ કલાકમાં જ 30 હજાર લોકોએ વેકસિન લીધી હતી. જ્યારે આજે બીજા દિવસે પણ બપોર સુધી 20 હજારથી વધુ લોકોએ રસીનો લાભ લીધો હતો.

આમ જોવા જઈએ તો વોક થ્રુ વેક્સિનેશન ને સુરતીઓ તરફથી સારો આવકાર મળી રહ્યો છે. આજે સાંજ સુધી આ આંકડો 40 હજાર સુધી પહોંચે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા પ્રમાણે લોકો હવે કોઇપણ જાતની અંધશ્રદ્ધા કે શંકા રાખ્યા વગર મહત્તમ વેકસિનનો લાભ લે તે જરૂરી છે. આ માટે સુરત મહાનગર પાલિકા દ્વારા પુરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દરરોજ 50 હજાર સુધી લોકોને વેક્સિન અપાય તે નિર્ધાર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

આ પહેલા 145 સેન્ટરો પરથી વેકસિન આપવામાં આવતી હતી તે વધારીને 230 સેન્ટર કરવામાં આવ્યા છે. અને રોજના પહેલા 20 થી 25 હજાર લોકોને રસી આપવામાં આવતી હતી. અને હવે તે ટાર્ગેટ 50 હજાર સુધીનો રાખવામાં આવ્યો છે.

અત્યારસુધી સુરત મનપા દ્વારા વેકસીનેશનના આ કાર્યક્રમમાં શહેરની 50 ટકા વસ્તીને આવરી લેવાઈ છે. અને જો આ જ પ્રમાણે લોકોએ વેકસીનેશન માટે રસ દાખવ્યો તો આવનારા 10 દિવસમાં 80 થી 85 ટકા લોકો સુધી પહોંચી જવાશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સારા સમાચાર: સુરતમાં કોરોનાનો કહેર ઘટ્યો, તમામ ઝોનમાં કેસોની સંખ્યા સિંગલ આંકડામાં

આ પણ વાંચો: નોંધણી છતાં 10,973 વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ ફાળવવાના બાકી, પૈસા પરત મેળવવા યુનિવર્સિટીમાં કમિટી રચાઈ

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">