AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી શિવરાત્રીની પૂજા
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 18, 2023 | 12:10 PM
Share

આજે શિવરાત્રીના પર્વમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના ઇચ્છાનાથ મહાદેવ ખાતે શિવરાત્રીની પૂજા કરી હતી અને નાગરિકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. મહા શિવરાત્રીનો તહેવાર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

ગૃહરાજ્યમંત્રીએ  આ પૂજનના ફોટા તેમના ટ્વિટર ઉપર પણ શેર કર્યા હતા.

પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા સંચાલન થાય છે મંદિરનું

રાજ્યભરમાં સેંકડો શિવાલય આવેલા છે ત્યારે આ એક એવું અનોખું શિવાલય છે જેનું સંચાલન સુરત પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે. અને આ મંદિરનું ખૂબજ માહાત્મય છે જેથી સુરત શહેરમાંથી અનેક ભાવિકો અહીં દર્શન કરવા આવતા હોય છે. ગૃહરાજ્યમંત્રી પણ સુરતમાં હોય ત્યારે સમયની અનુકૂળતાએ ઇચ્છાનાથ મહાદેવના દર્શન અચૂક કરતા હોય છે અને પછી જ પોતાના કાર્યની શરૂઆત કરે છે.

ત્યારે અહીં દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ નાગરિકોને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી તેમજ જણાવ્યું હતું કે હું આજે અહીંથી શિવના ધામ જૂનાગઢ જઈ રહ્યો છે અને ગુજરાતના સૌ નાગરિકોને મહાશિવરાત્રી ની શુભકામનાઓ આજે અહીંથી જુનાગઢ જઈને ભગવાન ભોલેનાથ પરિક્રમામાં જોડાવા માટે હું જૂનાગઢ જઈ રહ્યો છું. ગુજરાતના સૌ નાગરિકોને શાંતિ અને સલામતી બની રહે તે માટે ભગવાન શિવજીને પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી છે.

સુરતના ઈચ્છા નાથ મહાદેવ મંદિર સહિત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અને ઓલપાડ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરો ની અંદર પણ રહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે આસ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવતા હોય છે મહાદેવના મંદિરે પોતાની મનની ઈચ્છા અને પોતાને પોતાના વ્યવસાય માટેની મનોકામના રાખતા હોય છે તે પૂર્ણ થાય ત્યારબાદ દર્શન કરવા માટે પણ આવતા હોય છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">