AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના

શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

Maha shivratri 2023: સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઇચ્છાનાથ મહાદેવ ખાતે કરી શિવરાત્રીની પૂજા, નાગરિકોની સુખાકારી માટે કરી પ્રાર્થના
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી શિવરાત્રીની પૂજા
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 18, 2023 | 12:10 PM
Share

આજે શિવરાત્રીના પર્વમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતના ઇચ્છાનાથ મહાદેવ ખાતે શિવરાત્રીની પૂજા કરી હતી અને નાગરિકોને શિવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. મહા શિવરાત્રીનો તહેવાર સુરત સહીત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરના ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના કરી હતી અને આજના પર્વે રાજયની શાંતિ અને સલામતી જળવાયેલી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી. તેમણે ગુજરાતના નાગરિકોને મહાશિવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.

ગૃહરાજ્યમંત્રીએ  આ પૂજનના ફોટા તેમના ટ્વિટર ઉપર પણ શેર કર્યા હતા.

પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા સંચાલન થાય છે મંદિરનું

રાજ્યભરમાં સેંકડો શિવાલય આવેલા છે ત્યારે આ એક એવું અનોખું શિવાલય છે જેનું સંચાલન સુરત પોલીસ હેડ ક્વાર્ટર દ્વારા કરવામાં આવે છે. અને આ મંદિરનું ખૂબજ માહાત્મય છે જેથી સુરત શહેરમાંથી અનેક ભાવિકો અહીં દર્શન કરવા આવતા હોય છે. ગૃહરાજ્યમંત્રી પણ સુરતમાં હોય ત્યારે સમયની અનુકૂળતાએ ઇચ્છાનાથ મહાદેવના દર્શન અચૂક કરતા હોય છે અને પછી જ પોતાના કાર્યની શરૂઆત કરે છે.

ત્યારે અહીં દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ નાગરિકોને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ આપી હતી તેમજ જણાવ્યું હતું કે હું આજે અહીંથી શિવના ધામ જૂનાગઢ જઈ રહ્યો છે અને ગુજરાતના સૌ નાગરિકોને મહાશિવરાત્રી ની શુભકામનાઓ આજે અહીંથી જુનાગઢ જઈને ભગવાન ભોલેનાથ પરિક્રમામાં જોડાવા માટે હું જૂનાગઢ જઈ રહ્યો છું. ગુજરાતના સૌ નાગરિકોને શાંતિ અને સલામતી બની રહે તે માટે ભગવાન શિવજીને પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી છે.

સુરતના ઈચ્છા નાથ મહાદેવ મંદિર સહિત સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ અને ઓલપાડ વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરો ની અંદર પણ રહેલી સવારથી ભીડ જોવા મળી રહી છે આસ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવતા હોય છે મહાદેવના મંદિરે પોતાની મનની ઈચ્છા અને પોતાને પોતાના વ્યવસાય માટેની મનોકામના રાખતા હોય છે તે પૂર્ણ થાય ત્યારબાદ દર્શન કરવા માટે પણ આવતા હોય છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">