AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: બેદરકારીએ શ્રમજીવી પરિવારના એકના એક બાળકનો ભોગ લીધો, ઘર પાસે ખોદેલા ખાડામાંથી વીજ વાયરને અડી જતા બાળકનું કરૂણ મોત

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા (SMC) દ્વારા ખાડા ખોદવામાં બેદરકારી બતાવવામાં આવી છે. એટલું જ નહીં વાયરો પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. છતાં પણ ખાડા પૂરવામાં કે વાયરોનું વ્યવસ્થિત નિયમન કરવામાં તંત્રની નિષ્કાળજી દેખાઈ આવી છે.

Surat: બેદરકારીએ શ્રમજીવી પરિવારના એકના એક બાળકનો ભોગ લીધો, ઘર પાસે ખોદેલા ખાડામાંથી વીજ વાયરને અડી જતા બાળકનું કરૂણ મોત
Child death due to current (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 10:23 PM
Share

વેસુ(Vesu ) ખાતે આવેલા એસએમસી આવાસમાં રહેતા શ્રમજીવી પરિવારનો માસુમ બાળક(Child ) રવિવારે સાંજે ઘર પાસે રમી રહ્યો હતો. પાલિકા(SMC) દ્વારા ઘર પાસે ખાડા ખોદવામાં આવ્યા છે. ખાડામાંથી વીજળીના જીવંત વાયરો બહાર નીકળી ગયા છે. દરમિયાન રમી રહેલ આ બાળક વીજ વાયરને અડી જતા તેને કરંટનો ભયંકર ઝાટકો લાગ્યો હતો. જેના કારણે તેનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. જયારે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. તેમજ પાલિકાની બેદરકારીએ તેનો ભોગ લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા.

ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતો 10 વર્ષીય જય શશીકાંત ઝાલટે રવિવારે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે તેને કરંટ લાગતા પરિવારજનો તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. ઉમરા પોલીસ બાળકના મૃતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવી હતી. આ ઘટના સંદર્ભે બાળકના કાકા કાશીનાથ ઝાલટે જણાવ્યું હતું કે બિલ્ડિંગના મુખ્ય ગેટની બાહર જ પાલિકા દ્વારા પાણીની લાઈન માટે ખાડા ખોદવામાં આવ્યા છે.

છેલ્લા પંદરેક દિવસથી આ ખાડા ખોઘ્યા છે. ખાડામાંથી વીજળીના વાયર બાહર નીકળી આવ્યા છે. જય રવિવારે સાંજે નજીકમાં જ રમી રહ્યો હતો ત્યારે જીવંત વાયરને અડી જતા તેને કરંટનો ઝાટકો લાગ્યો હતો જેના લીધે તેનું સ્થળ પર જ મોત થઇ ગયું હતું. તેને હોસ્પિલમાં લઇ જવામાં આવ્યો હતો પંરતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. પાલિકાની બેદરકારીને કારણે ખાડામાંથી બાહર નીકળી ગયેલા વાયરથી કરંટ લાગતા અમારા બાળકનો ભોગ લેવાયો છે.

વધુમાં જણાવ્યું હતું કે જય બે બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો. બનાવને લઈને ઉમરા પોલીસ આગળની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા ખાડા ખોદવામાં બેદરકારી બતાવવામાં આવી છે. એટલું જ નહીં વાયરો પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે. છતાં પણ ખાડા પૂરવામાં કે વાયરોનું વ્યવસ્થિત નિયમન કરવામાં તંત્રની નિષ્કાળજી દેખાઈ આવી છે. જેના કારણે એક માસુમનો ભોગ લેવાયો છે.

આ પણ વાંચો :

Tapi Riverfront : 1400 કરોડની નાણાકીય સહાય પહેલા વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવશે

Gujarat Assembly Election 2022: હાર્દિક પટેલ CM બને કે નરેશ પટેલ, પણ બનવો જોઈએ કોંગ્રેસનો- ભરતસિંહ સોલંકી, કહ્યું કે હાર્દિક પર ટિપ્પણી કરવા માટે હું અસમર્થ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">