AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biparjoy : સુરતના સુવાલી બીચના દરિયામાં કરંટ દેખાયો, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

સંભવિત Cyclone Biparjoy ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

Cyclone Biparjoy : સુરતના સુવાલી બીચના દરિયામાં કરંટ દેખાયો, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 10, 2023 | 11:56 AM
Share

Cyclone Biparjoy જેમ જેમ દરિયા કિનારાની નજીક આવી રહ્યું છે. તેમ તેની અસર પણ દેખાઈ રહી છે. દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. સુરત (Surat) સુવાલી બીચ પર ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્રણ દિવસ માટે સુવાલી અને ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના 42 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Junagadh : Cyclone Biparjoy ની અસરના કારણે ગિરનારમાં રોપવે બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે શરૂ કરાશે

બીચ પર પોલીસ કાફલો ગોઠવાયો

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત Cyclone Biparjoy ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરએ આદેશ કર્યો છે.

તો બીજી હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.બીપોર જોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત શહેરના વાતાવરણમાં અસર પણ દેખાઈ રહી છે. તો બીજી તરફ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ડુમસ અને સુંવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. બીચ હાલ સુમસાન નજરે પડી રહ્યા છે.

SDRFની ટીમ સ્ટેન્ડ બાય

ઇન્ચાર્જ કલેકટર બી.કે. વસાવાએ જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડું પોરબંદરથી 880 કિલોમીટર જેટલું દુર છે. જે દક્ષિણ ગુજરાત સુધી 11 અને 12 જૂન સુધી પહોચવાની શક્યતા છે. જેથી સુરત જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જ છે. વાવાઝોડાની શક્યતાને લઈને અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા પણ સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત માછીમારોને દરિયામાં નહી જવા માટેની સૂચના પણ અગાઉથી જ આપી દેવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા હતા તેઓને પણ પરત બોલાવી લીધા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરત જિલ્લાના દરિયાકાંઠાના 42 ગામો સૌથી પહેલા અસરગ્રસ્ત થતા હોય છે ત્યાં અમે સતત નજર રાખી રહ્યા છે. હાલમાં એસ.ડી.આર.એફ.ની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. હાલમાં કોઈ બીચ બંધ કરવામાં આવ્યા નથી પરંતુ જરૂર જણાશે તો બીચ બંધ પણ કરવામાં આવશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">