શ્રદ્ધા : આશાપુરા માતાની આરતી સાંભળવા સુરતના હજીરા ગામમાં લગાવવામાં આવ્યા 55 સ્પીકર

ચાર સદીઓ પહેલા માતા આ વડના ઝાડ(Tree ) નીચે પ્રગટ થયા હતા. ગામની બહાર ગયેલા લોકોની આસ્થા પણ જોડાયેલી છે, દરિયામાંથી માતાજીની મૂર્તિ મળી હતી, જેનું તે જ સ્થળે સ્થાપન કરી મંદિર બનાવ્યું છે.

શ્રદ્ધા : આશાપુરા માતાની આરતી સાંભળવા સુરતના હજીરા ગામમાં લગાવવામાં આવ્યા 55 સ્પીકર
Ashapura Temple in Hajira (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 2:42 PM

સુરતના(Surat ) હજીરા ગ્રામ પંચાયતમાં આવેલા મંદિરની(Temple ) નજીક એક 500 વર્ષ જૂનું વિશાળ વટવૃક્ષ (Tree ) છે, એવું માનવામાં આવે છે કે આશાપુરા માતા અહીં પ્રગટ થયા હતા. 450 વર્ષ જુના સિંગોતર આશાપુરા માતાજીના મંદિરની આરતી લોકો સાંભળી શકે તે માટે હજીરા ગામે અલગ-અલગ જગ્યાએ 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. એક તરફ અનેક રાજ્યોમાં મસ્જિદોમાંથી અઝાન બંધ કરાવવા તેમજ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ વચ્ચે હજીરા એ દક્ષિણ ગુજરાતનું એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી સાંભળવા માટે આખા ગામમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે.

સુરતના હજીરા ગામમાં કુલ 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. હજીરા ગ્રામ પંચાયત દ્વારા આ લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. આ માટે હજીરા ગ્રામ પંચાયત વતી શેરીઓ અને ગલીઓમાં 55 લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેથી લોકો સવાર-સાંજ આશાપુરા મંદિરમાં થતી માતાજીની આરતી સાંભળી શકે, લાઉડ સ્પીકર લગાવવાથી હવેઆખા ગામમાં માતાજીની આરતી સંભળાય છે. ગામલોકોની મંદિરમાં અતૂટ શ્રદ્ધા છે. લોકોએ માતાજીની આરતી સાંભળવાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. તેથી જ પંચાયતે જગ્યા નક્કી કરી લાઉડ સ્પીકર લગાવ્યા છે. સાંજના સમયે ગામમાં પહોંચતા જ ધાર્મિક વાતાવરણનો અહેસાસ થાય છે.

એવું માનવામાં આવે છે કે ચાર સદીઓ પહેલા માતા આ વડના ઝાડ નીચે પ્રગટ થયા હતા. ગામની બહાર ગયેલા લોકોની આસ્થા પણ જોડાયેલી છે, દરિયામાંથી માતાજીની મૂર્તિ મળી હતી, જેનું તે જ સ્થળે સ્થાપન કરી મંદિર બનાવ્યું છે. ગામલોકોને મંદિરમાં ભારે આસ્થા છે. ગામના 15% લોકો પૈતૃક ઘર છોડીને અહીંથી ચાલ્યા ગયા છે. જોકે તેમની આસ્થા પૌરાણિક મંદિર સાથે જોડાયેલી છે અને દરેક તહેવાર, પ્રસંગમાં અહીં આવે છે. અહીં બાળકો મુંડન કરાવે છે, લોકો તેમની પ્રતિજ્ઞા પણ સ્વીકારે છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આમ અઝાન અને હનુમાન ચાલીસા લાઉડ સ્પીકર પર વગાડવા મુદ્દે દેશના અનેક રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ગામ ધાર્મિકતાનું અનોખું પ્રતીક છે. જ્યાં માતાજીની આરતી લાઉડ સ્પીકર પર વગાડવામાં આવે છે. અને ગ્રામજનો અતૂટ શ્રદ્ધા સાથે તેને સાંભળીને ભક્તિમાં લિન રહે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">