Surat : અત્યાધુનિકતાના દાવા પોકળ, યુનિવર્સીટીની મોક ટેસ્ટમાં પાસવર્ડ ખોટા જનરેટ થયા, મોક ટેસ્ટ ફરી લેવાશે

વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ લેવામાં આવી હતી. તેવામાં ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીથી પાસવર્ડ ખોટા જનરેટ થઈ જતા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટમાં અટવાઈ ગયા હતા.

Surat : અત્યાધુનિકતાના દાવા પોકળ, યુનિવર્સીટીની મોક ટેસ્ટમાં પાસવર્ડ ખોટા જનરેટ થયા, મોક ટેસ્ટ ફરી લેવાશે
VNSGU
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 9:08 AM

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) આગામી તારીખ 29 નવેમ્બરથી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સની ઓનલાઇન પરીક્ષા (Online Exams) શરૂ થઈ રહી છે. જો કે, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ નહીં પડે એ માટે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટ (Mock Test) લેવામાં આવી હતી. તેવામાં ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીથી પાસવર્ડ ખોટા જનરેટ થઈ જતા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટમાં અટવાઈ ગયા હતા. જે પછી ફક્ત 41.76% વિદ્યાર્થીઓએ  મોક ટેસ્ટની આ પરીક્ષા આપી હતી.

આ ટેક્નિકલ ઇસ્યુને કારણે ઓછા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા જ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે અને શનિવારે ફરી મોક ટેસ્ટ રાખવામાં આવી છે. યુનિવર્સિટી અને કોલેજોના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે તારીખ 25 નવેમ્બર ગુરૂવારે સવારે 11ઃ00થી સાંજે 5 :00 કલાક દરમિયાન મોક ટેસ્ટ રાખવામાં આવી હતી.

જો કે, આ મોક ટેસ્ટ અપાવવા માટે વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલ, કોમ્પ્યુટર સહિતના માધ્યમોથી લોગીન થવા ગયા તો પાસવર્ડ ખોટા બતાવવામાં આવી રહ્યા હતા. એ વાતની જાણ કોલેજોના આચાર્યોને થતા એક પછી એક ફોન યુનિવર્સિટી પર આવવા લાગ્યા હતા. કોલેજોની ફરિયાદોને ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી યુનિવર્સિટી દ્વારા તાકીદે ઓનલાઇન પરીક્ષા લેનારી એજન્સીનો સંપર્ક કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

તેવામાં જાણવા મળ્યું હતું કે એજન્સીએ પાસવર્ડમાં જે તે વિદ્યાર્થીનો મોબાઇલ નંબર મૂકવાનો હતો તે નંબરનું લિસ્ટ ભૂલથી ઉપર કે નીચે થઇ ગયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓના પાસવર્ડ ખોટા બતાવી રહ્યા હતા. આમ, આ ભૂલ પકડાતા જ તુરંત જ એજન્સીએ અડધો કલાકમાં ભૂલ સુધારી દીધી હતી. જે પછી યુનિવર્સિટીએ ફરી એકવાર કોલેજોને જાણ કરી હતી.

તેના બાદ વિદ્યાર્થીઓ ફરી લોગીન થયા હતા અને મોક ટેસ્ટ આપી હતી. જે બાદ વિદ્યાર્થીઓને મોક ટેસ્ટમાં કોઈ પણ પ્રકારની તકલીફ નડી  ન હતી. યુનિવર્સીટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ટેક્નિકલ ઇસ્યુ આવતા હવે તારીખ 26 અને 27 નવેમ્બર એમ બે દિવસ ફરી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા નિયામક અરવિંદ ધડૂકે જણાવ્યું હતું કે અંડર ગ્રેજ્યુએટના સેમેસ્ટર ત્રણ અને પાંચ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટના સેમેસ્ટર માં કુલ 85 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 30,500 વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપી હતી.

આ પણ વાંચો : Surat : વાહ ! કરિયાવરમાં આ પરિવારે દીકરીને સોલાર પેનલ આપી નવો ચીલો ચીતર્યો

આ પણ વાંચો : Surat : ભાજપનાં સ્નેહમિલન સામે ગુસ્સે ભરાયેલા કોંગ્રેસીઓ ગયા આવેદન પત્ર આપવા, પરત ફર્યા સલાહ અને નિયમોનું જ્ઞાન મેળવીને !

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">