સુરત શહેરનો કચરો સુંવાલી ગામમાં ઠાલવવા સામે ગ્રામ્યજનોનો સખ્ત વિરોધ

Surat : સુંવાલી  અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. તેમ ગ્રામ્યજનોનુ કહેવુ છે.

સુરત શહેરનો કચરો સુંવાલી ગામમાં ઠાલવવા સામે ગ્રામ્યજનોનો સખ્ત વિરોધ
Surat: Strong protest against dumping of city waste in Sunwali village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:30 PM

Surat સુરત મહાનગરપાલિકા ( SMC ) દ્વારા રોજનો કચરો ખજોદ( Khajod ) લેન્ડ ફિલ્ડ સાઈટ (Land Field Site) પર ઠાલવવામાં આવે છે. જે કચરો હવે ઓલપાડ તાલુકાના ભાડુત અને મંદરોઈ ગામમાં નહીં ઠાલવીને હવે સુંવાલી ગામની જમીનની માંગણી કરવામાં આવી હતી. જેનો સુંવાલી ગામના લોકોએ સખ્ત વિરોધ કર્યો છે. આજે તેઓ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે શહેરનો સૌથી મોટો ઉકરડો કહેવાતી ખજોદ લેન્ડ સાઈટ હવે કચરામાંથી કંચન બની ગઈ છે. ડ્રિમ સિટીનો આવિષ્કાર થઇ શક્યો છે. પણ શહેરમાંથી પ્રતિદિન નીકળતો કચરો ક્યાં ઠાલવવો તેની મડાગાંઠ ઉભી થઇ છે. જેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી. આ પ્રશ્ન ઉકેલવા માટે અગાઉ ભાડુત અને મંદ્રોઈ  ગામ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકો તરફથી વિરોધનો સુર તીવ્ર બન્યો હતો. એટલું જ નહિ આ બંને ગામો દરિયાકિનારા નજીકના છે. આ બંને ગામોને સીઆરઝેડ અસર કરે છે.

જેથી હવે નવા વિકલ્પ તરીકે હાલમાં સુરત સિટીનો ( Surat City ) કચરો શહેરથી અંદાજિત 25 કિલોમીટર દૂર સુંવાલી( Sunvali )  ગામમાં ઠાલવવા સરકાર પાસે મંજૂરી માગી છે. વિકાસની હરણફાળ દોડ ભરી રહેલા સુરત શહેરમાં ઘન કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી 20 વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડમ્પિંગ સાઈટ માટે રાજ્ય સરકાર પાસે સુંવાલી ગામ નજીક 50 હેકટર જમીન તથા સૂકા કચરાને પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે 25 હેકટર જમીનની માંગણી કરવમાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પરંતુ ગ્રામવાસીઓનું કહેવું છે કે સુંવાલી ગામમાં ઘન કચરો ઠાલવવામાં આવે તો પશુપાલન વ્યવસાય તથા માનવજાતને ગંભીર અસર થાય તેવું છે. આજે સુંવાલી સહીત રાજગરી અને શિવરામપુરના સરપંચો સહીત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તેઓએ ઉમેર્યું હતું કે સુંવાલી  અને તેના આસપાસની જગ્યા હજીરાના ઉધોગો માટે સંપાદન કરવામાં આવી છે. જો ડમ્પિંગ સાઈટ (dumping site ) માટે ફાળવવામાં આવે તો સ્થાનિક પશુપાલન,ખેતી અને માછીમારી જેવા વ્યવસાય પર અસર પડશે. મનપા દ્વારા જે જમીન માંગવામાં આવી છે તેની આસપાસ આવેલી શાળાઓમાં પણ 3500 થી વધુ બાળકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર પડશે.

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">