Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે

દશામા કે ગણપતિ વિસર્જન દરમ્યાન કોરોનાનું સંક્ર્મણ વધુ ન વકરે તે માટે પાલિકા ચાલુ વર્ષે પણ કૃત્રિમ તળાવ નહીં બનાવે અને લોકોને ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે પ્રતિમાઓનું વિસર્જન કરવા હવે મહાનગર પાલિકા પ્રચાર અભિયાન પણ શરૂ કરશે.

Surat : ધાર્મિક પ્રતિમાઓનું વિર્સજન ઘર આંગણે જ કરવા અંગે પાલિકા પ્રચાર અભિયાન શરૂ કરશે
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 1:13 PM

દશામા મહોત્સવ, જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ બાદ પ્રતિમાઓ કુદરતી તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં વિસર્જનના પ્રતિબંધનો ચુસ્ત અમલ કરવા માટે હવે મહાનગપાલિકાએ નોંધ ઇસ્યુ કરી છે અને હવે તમામ પાલિકાના ઝોનમાં આ નોંધનો અમલ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરની નોંધ મુજબ ઝોન વિસ્તારમાં આવેલ તમામ કુદરતી નાળા, તળાવ, નદી, ઓવારા તથા અન્ય જળસ્રોતમાં પ્રતિમાઓનું વિસર્જન ન થાય તેની ખાસ તહેદરી રાખવા માટે પોલીસ વિભાગ સાથે સંકલન રાખવા ઝોનના કાર્યપાલક ઇજનેરને તાકીદ કરવામાં આવી છે. સાથે જ વોટર બોડીઝના સ્થળે બેરિકેટિંગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

બેરિકેટિંગના સ્થળોએ પ્રતિમાઓના વિસર્જનના પ્રતિબંધ અંગેના સૂચના બોર્ડ લગાવવાની પણ તાકીદ તમામ ઝોનોને કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રીના સમયે પણ પૂરતું નિરીક્ષણ થઇ રહે તે માટે ઝોન સ્તરેથી જરૂરી માત્રામાં ફ્લડલાઇટ્સની સુવિધા પણ ઉભી કરવામાં આવશે અને ઉસબોર્ન વિસર્જનના અગાઉના દિવસથી બીજા દિવસ સુધી જે તે ઝોનમાંથી જરૂરી સ્ટાફને ઝોન વાઈઝ નિમણુંકો કરવાની રહેશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એટલું જ નહીં દશામા ઉત્સવ, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ બાદ ધાર્મિક પ્રતિમાઓનું વિસર્જન ઇકો ફ્રેન્ડલી પદ્ધતિથી ઘર આંગણે, સોસાયટીના કોમન પ્લોટમાં કોરોનની ગાઈડલાઈનની અમલવારી સાથે કરવાની રહેશે. આ માટે દરેક નાગરિકો અને ગણેશ સ્થાપક મંડળોને જરૂરી શિક્ષણ અને માર્ગદર્શન આપવા પણ દરેક ઝોનમાં પ્રચાર અભિયાન હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે.

મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધી પાનીની આ નોંધ પરથી સ્પષ્ટ છે કે દશામા બાદ હવે ગણેશ વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જો કૃત્રિમ તળાવની વ્યયવસ્થા ઉભી કરવામાં આવે તો વિસર્જનના દિવસે લોકોની ભીડ ભેગી થવાની સંભાવના છે. જેથી આ વખતે પણ મનપા દ્વારા કૃત્રિમ તળાવ ઉભા નહીં કરવામાં આવે અને ઓવારો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવશે.

જેથી એક વાત નક્કી છે કે આ વર્ષે પણ ભક્તોએ દશામા અને ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન ઘર આંગણે જ ઇકો ફ્રેન્ડલી રીતે કરવાનું રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતના જરદોશી એટલે કે ખાટલી વર્કની પરંપરા આજે પણ યથાવત

આ પણ વાંચો : Surat : સુરતના શ્રમજીવી પરિવારની આ દીકરીઓ રાખડી બનાવી થઇ પગભર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">