AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક ડગલુ આગળ વધી, પશુઓમાં માઈક્રો ચીપ લગાવવાનું આયોજન

દંડથી બચવા માટે કેટલાક પશુપાલકો દ્વારા પશુઓનું ટેગિંગ કાઢી નાંખવામાં આવે છે અને આવા ઘણા કેસો પણ નોંધાય છે. જેને પગલે પાલિકાએ આ નીતિને ફરી એકવાર રિવાઈઝ કરવાનો વારો આવ્યો છે. 

Surat: રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક ડગલુ આગળ વધી, પશુઓમાં માઈક્રો ચીપ લગાવવાનું આયોજન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 6:31 PM
Share

સુરત (Surat)માં રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા હવે પાલિકા એક કદમ આગળ વધી રહી છે. રખડતા ઢોરોના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે હવે સુરત મહાનગરપાલિકા માઈક્રો ચીપ લગાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ ચિપ હશે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ડિવાઈસ. RFID આ ડિવાઈઝથી પશુઓ આ પહેલા પકડાયા છે કે નહીં તેની જાણકરી મળી શકશે. તેમજ દંડ વસુલવામાં પણ મદદ કરશે.

પાલિકા દ્વારા પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી વખત એક ને એક જ ઢોર પકડાય તો માલિકને નહીં આપતા તે ઢોરને હંમેશા પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે છે. જોકે આ નીતિ રીતિ અને પોલીસીના હજી સુધી કોઈપણ હકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી અને એટલા માટે જ હવે આ તમામ સમસ્યાઓના ત્રાસથી છુટકારો મેળવવા હવે પશુપાલકો પાસે રહેલા ઢોરોનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરીને પાલિકા દ્વારા આ પશુઓને માઈક્રો ડિવાઈઝ ચિપ લગાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા શહેરમાં વસવાટ કરતા પશુપાલકોના કબ્જા હેઠળના ઢોર પૈકી અત્યાર સુધી ફક્ત 24,321 પશુઓનું રજીસ્ટ્રેશન થયું છે અને આ કામગીરી વર્ષોથી ચાલી રહી છે પણ જોઈએ એટલી સફળતા મળી નથી. જેની પાછળ જવાબદાર પશુપાલકો જ હોવાનું કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે.

પાલિકાના માર્કેટ વિભાગના જણાવ્યા પ્રમાણે ગાય, બળદ, સાંઢ, પાડા કે વાછરડા પકડાય તે નિયમ મુજબ દંડ વસુલવામાં આવે છે. આ માટે પશુઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે. પરંતુ દંડથી બચવા માટે કેટલાક પશુપાલકો દ્વારા પશુઓનું ટેગિંગ કાઢી નાખવામાં આવે છે અને આવા ઘણા કેસો પણ નોંધાય છે. જેને પગલે પાલિકાએ આ નીતિને ફરી એકવાર રિવાઈઝ કરવાનો વારો આવ્યો છે.

સુરત મહાનગરપાલિકાની નવી પોલિસી પ્રમાણે જૂની પોલિસીમાં કેટલીક ખામીઓ રહી ગઈ છે. પશુઓનું એકવાર રજીસ્ટ્રેશન કરી દીધા બાદ પશુપાલકો ટેગ હટાવી દે છે. જોકે થોડા સમય બાદ આ ટેગ પશુઓ પરથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું છે. જેથી હવે પશુઓના શરીરમાં જ ઈન્જેક્શનથી માઈક્રો ટેગ ઈન્સર્ટ કરવામાં આવશે અને નવી RFID પોલિસી વિચારણા હેઠળ હોવાનું તેઓએ ઉમેર્યું છે.

આ પણ વાંચો : Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર

આ પણ વાંચો : Surat: લૂંટ, અપહરણ સહિત અનેક ગુનાઓને અંજામ આપનાર ગાજીપરા ગેંગના ખૂંખાર આરોપી પોલીસના સકંજામાં

Follow Us
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
g clip-path="url(#clip0_868_265)">