Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:06 PM

રાજ્યમાં કોરોનાની (Corona) સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાથી સરકારના નિયમ પ્રમાણે ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની (Offline School) શરૂઆત થઇ ગઈ છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ પ્રત્યક્ષ શિક્ષણ બાબતે હજી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 6થી 8ના કુલ 76,684 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકારની ગાઈડલાઈન મુજબ સમિતિ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરતા પહેલા દરેક વિદ્યાર્થીના વાલી પાસે લેખિત સંમતિ મગાવવામાં આવી હતી. જે હેઠળ શિક્ષણ સમિતિ પાસે માત્ર 19,023 વાલીઓની સંમતિ અત્યાર સુધી આવી છે. એટલે કે ફક્ત 24 ટકા વાલીઓ જ પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ માટે મોકલવા હાલ તૈયાર થયા છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓ માટે સંમતિ મળી છે તે પૈકી પણ 75થી 80 ટકા વિદ્યાર્થીઓ જ પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં વાલીઓમાં પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે.

માત્ર 24 ટકા વાલીઓની સંમતિ એ સૂચવે છે કે હજી પણ વાલીઓમાં કોરોનાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પણ વાલીઓને બાળકોને શાળાએ મોકલવા ચિંતા દેખાઈ રહી છે. શિક્ષણ સમિતિના સભ્યના જણાવ્યા પ્રમાણે ભલે કોરોના નિયંત્રણમાં હોય પણ બાળકોને સુરક્ષિત રાખવાની માનસિકતા દેખાઈ રહી છે.

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે તેઓને હજી ત્રીજી લહેરનો ડર છે. આટલો સમય રાહ જોઈ લીધા પછી હજી બે મહિના રાહ જોવામાં કોઈ ખોટું ન હોવાનું તેઓ માની રહ્યા છે.

દિવાળી પછી જોવાનું એ રહે છે કે શાળાઓ ફૂલ ફ્લેજ્ડ શરૂ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની હાજરી વધે છે કે કેમ. જોકે હાલ પરિસ્થિતિ કાબુમાં છે છતાં ત્રીજી લહેરની ભીતિથી શાળાઓમાં હજી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

આ પણ વાંચો:Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">