AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની દશા આવી રીતે જ થશે દૂર : ભક્તોએ દશામાનું ઘર આંગણે ઇકોફ્રેન્ડલી રીતે કર્યું વિસર્જન

ચાલુ વર્ષે ધાર્મિક પ્રતિમાઓના તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હતો. જેથી ભક્તોએ દશામાની પ્રતિમાઓને ઘરઆંગણે જ વિર્સજિત કરી હતી.

Surat : કોરોનાની દશા આવી રીતે જ થશે દૂર : ભક્તોએ દશામાનું ઘર આંગણે ઇકોફ્રેન્ડલી રીતે કર્યું વિસર્જન
Surat: People dismantled Dashama statues in an eco-friendly manner at home
| Updated on: Aug 18, 2021 | 9:52 AM
Share

અષાઢ વદ અમાસના દિવસથી દશામાનુ વ્રત કરનાર બહેનો એ દસ દિવસ સુધી માતાજીની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ રાત્રે જાગરણ કરીને ઘર આંગણે જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ દસ દિવસ દરમ્યાન  બહેનોએ ઘરે-ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. દર વર્ષે વ્રતના છેલ્લા દિવસે દશામાની મૂર્તિનું મનપા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને આ વર્ષે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા નથી.

ચાલુ વર્ષે પણ તમામ ઓવારાઓ પર પતરાની આડશ મૂકી દીધી હતી. નદીમાં કોઇ વિસર્જન કરી શકે નહીં તે માટે શ્રદ્ધાળુને ઘર આંગણે જ વિસર્જન કર્યું હતું. છેલ્લાં બે વર્ષથી તાપી નદી અને તળાવોમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ ચાલુ વર્ષે કોરોનાની  સ્થિતિને કારણે પાલિકાને આ વર્ષે કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી.

આવી સ્થિતિ વચ્ચે સુરતમાં દોઢ લાખથી વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ હતી. નદી અને તળાવ માં મૂર્તિ પર વિસર્જન પર પ્રતિબંધ મુકાયો હતો. અને પાલિકાએ કુત્રિમ તળાવ બનાવ્યા ન હતા. જેથી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં મૂંઝવણ પણ જોવા મળી હતી.જોકે વ્રતધારી બહેનો એક દશામાની પ્રતિમાઓનું ઘર આંગણે જ વિસર્જન કરવાની નોબત પડી હતી.

દર વર્ષે દશામાના પર્વનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને એજ હર્ષોલ્લાસ સાથે દશામાની પ્રતિમાઓનું વિસર્જન પણ કરવામાં આવે છે. પરંતુ જો આ વર્ષે પાલિકા કૃત્રિમ તળાવ બનાવતે તો વિસર્જન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાથી કોરોના સંક્ર્મણ વધવાની ભીતિ વધારે હતી. જેથી પાલિકાએ આ વર્ષે પણ ગત વર્ષની જેમ લોકોને સાદાઈથી અને કોરોનાની ગાઈડલાઇનનું ધ્યાન રાખીને માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી હતી. આ જ પ્રમાણે સુરત મનપાના અલગ અલગ ઝોનમાં ગણપતિ પ્રતિમાઓ માટે પણ સરખી સૂચના આપવામાં આવી છે.

જેથી આ વર્ષે ગણપતિ વિસર્જન પણ ભક્તોએ ઇકો ફ્રેન્ડલી રીતે ઘર આંગણે જ કરવાનું રહેશે. લોકોએ દશામાની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કર્યું હતું. જોકે હવે દર વર્ષે આ ટ્રેન્ડ બની જતા જળસ્રોતોના પ્રદૂષણનો પ્રશ્ન પણ હલ થઇ ગયો છે.

આ પણ વાંચો :

Surat : ત્રીજી લહેર આવશે કે નહીં તે આપણા વર્તન પર નિર્ભર : સુરતના નિષ્ણાંત તબીબોનો મત

Surat : UPSC ની પરીક્ષા માટે સુરતમાં સાત સેન્ટરો ફાળવાયા, 10 ઓક્ટોબરે યોજાશે પરીક્ષા

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">