AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું

દેવઉઠી અગિયારસ નિમિત્તે કતારગામ સ્થિત પ્રાચીન કંતારેશ્વર મહાદેવના સમગ્ર પરિસરને ઘીમાંથી બનેલા દિવાઓથી શણગારવામાં આવ્યું હતું. જયારે અંબિકાનિકેતન મંદિર સ્થિત અંબામાતા ચરણદર્શનનો લાભ ભકતોને આપવામાં આવ્યો હતો.

સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું
Surat: Kantareshwar Mahadev temple premises decorated with ghee lamps
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 15, 2021 | 12:11 PM
Share

આ વખતે દેવ પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહ પર્વ કોઈ જગ્યાએ 14 તો કોઈ જગ્યાએ 15 નવેમ્બરના રોજ ઊજવવામાં આવી રહ્યો છે, એટલે બંને દિવસ એકાદશી રહેશે. આવું પંચાંગમાં તિથિની ગણતરીમાં ભેદ થવાના કારણે થઈ રહ્યું છે. દેવ ઊઠી એકાદશી નિમિત્તે રવિવારે કતારગામના કંતારેશ્વર મંદિરમાં ઘીના દીવાઓથી રોશની કરવામાં આવી હતી. મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું કે, આ માટે 45 કિલો ઘીમાંથી 4,500 દીવા બનાવાયા હતા, જેમાં 50 ભક્તોને 4 કલાક લાગ્યા હતા.

દેવઉઠી અગિયારસ નિમિત્તે કતારગામ સ્થિત પ્રાચીન કંતારેશ્વર મહાદેવના સમગ્ર પરિસરને ઘીમાંથી બનેલા દિવાઓથી શણગારવામાં આવ્યું હતું. જયારે અંબિકાનિકેતન મંદિર સ્થિત અંબામાતા ચરણદર્શનનો લાભ ભકતોને આપવામાં આવ્યો હતો.આ સાથે સગરામપુરાના રામજી મંદિરમાં પણ એકાદશી-તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શેરીઓમાં તુલસીમાતાની શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ શહેરના સ્વામીનારાયણ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો તેમજ મોટા ભાગના રામ મંદિરોમાં સોમવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાશે.

હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનો એક અદ્ભુત ઉત્સવ ઉજવાય છે. કારતક મહિનાની શુક્લ પક્ષની દેવપ્રબોધિની નામની એકાદશીની તિથિએ તુલસી વિવાહ યોજાય છે. આ પાવન પર્વ પર ભગવાન વિષ્ણુના મૂર્તિસ્વરૂપ શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરાવી પુણ્યાત્મા લોકો કન્યાદાનનું ફલ પ્રાપ્ત કરે છે. તુલસી વિવાહ લૌકિક વર-કન્યાના લગ્નની જેમ જ ભારે ધામધૂમથી રંગેચંગે શાસ્ત્રોક્ત લગ્ન વિધિથી જ કરાવાય છે.ત્યારે સુરત શહેરના વિવિધ મંદિરોમાં દેવઉઠી અગિયારસ નિમિત્તે ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતુ.

કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ ?

તુલસી વિવાહ(TULSI VIVAH)એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે.

આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, અને બંને ના લગ્ન પણ કરાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યા નું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે. આ-જ પર્વને દેવઉઠી એકાદસશી સાથે પણ સાંકળવામાં આવ્યો છે.

Follow Us
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
g clip-path="url(#clip0_868_265)">