AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં મંદિર તોડીને બિલ્ડર જ શિવલિંગ લઈ ગયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે શિવલિંગની ચોરી બાબતે મામલો ગરમાતા પોલીસે તપાસ તેજ કરી છે.

Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?
Residents protest against builder stealing Shivling
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 23, 2022 | 2:43 PM
Share

સુરત (Surat)ના ગોડાદરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેમાં મંદિર (Temple) તોડીને બિલ્ડર (Builder) જ શિવલિંગ લઈ ગયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે શિવલિંગની ચોરી (Theft of Shivling)બાબતે મામલો ગરમાતા તપાસ તેજ કરી છે.

સુરત શહેરમાંથી શિવલિંગની ચોરીનો મામલો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ સત્ય છે. એટલું જ નહીં મંદિર તોડીને શિવલિંગની ચોરી કરનાર બિલ્ડર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. શિવલિંગ ચોરીનો આ બનાવ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીનો છે. સોસાયટીના રહીશોએ અહીં સોસાયટીના કોમન પ્લોટમાં ભગવાન શિવના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ સોસાયટી બનાવનાર બિલ્ડરોએ મંદિરનો વિરોધ કરતાં બિલ્ડરો અને તેમના માણસોએ રાત્રિના અંધારામાં આવીને મંદિરની દિવાલો તોડી , મંદિરમાંથી શિવલિંગ પણ ચોરી લઇ ગંયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

બીજે દિવસે સવારે જ્યારે લોકોને બિલ્ડર અને તેના લોકો દ્વારા મંદિર તોડી તેમાંથી શિવલિંગની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યુ ત્યારે લોકો પોતાના ઘરોમાંથી બહાર આવી ગયા હતા. અને વિરોધ નોંધાવ્યો હતો. મંદિર તોડવાના વિરોધમાં સમાજના લોકો વિરોધ કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પણ લોકો સમાધિ માટે તૈયાર નહોતા.

સ્થાનિકોના વિરોધ દરમિયાન અનેક હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ નીલકંઠ સોસાયટીમાં પહોંચી ગયા હતા. અને સ્થાનિકોના વિરોધમાં જોડાઇ ગયા હતા. મામલાએ વધુ જોર પકડતા ગોડાદરા પોલીસ મથકે બિલ્ડર અને તેના સાગરિતો સામે ગુનો નોંધાયો હતો. પોલીસ ફરિયાદમાં મંદિર તોડી શિવલીંગની ચોરી કરવા અંગેનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જ્યારે કોઈ પણ બિલ્ડર કોઈપણ સોસાયટીમાં મકાનોનું બાંધકામ કરે છે, ત્યારે તે સોસાયટીના ઉપયોગ માટે એક કોમન પ્લોટ છોડે છે, જેમાં સોસાયટીના રહેવાસીઓ જાહેરમાં ઈવેન્ટનું આયોજન કરી શકે છે. આ સોસાયટીમાં પણ આવો જ કોમન પ્લોટ હતો, પરંતુ થયેલા આક્ષેપ મુજબ કોમન પ્લોટ પર બિલ્ડરની નિયત બગડી અને તેઓ મંદિર તોડીને શિવલિંગ લઈ ગયા, હવે આ જગ્યાએ માત્ર નંદીની પ્રતિમા જ જોવા મળે છે.

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

આ પણ વાંચો-

પોરબંદરઃ સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી, 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">