પોરબંદરઃ સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ પલટી, 16માંથી 8 ક્રૂ મેમ્બરનું કરાયું રેસ્ક્યૂ

અરબી સમુદ્રમાં ખરાબ હવામાનના પગલે ઊંચા મોજા ઊછળી રહ્યા હતા અને ભારે પવન ફુંકાવાના પગલે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 8:27 AM

અરબી સમુદ્રમાં સરક્રિક નજીક પાકિસ્તાનની બોટ (Pakistan’s boat) પલટી મારી ગઇ છે. ખરાબ હવામાન (weather)ના કારણે આ દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. આ બોટમાં 16 ક્રૂ મેમ્બર સવાર હતા તેવી માહિતી છે. જેમાંથી 8 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

પોરબંદર નજીક અરબી સમુદ્રમાં મોટી દુર્ઘટના બની છે. સમુદ્રમાં ખરાબ હવામાન હોવાના કારણે પાકિસ્તાનની 16 ક્રૂ મેમ્બર સાથેની બોટ પલટી ગઇ છે. આ પાકિસ્તાની બોટનું નામ અલ-સીદીકિ હોવાનું સામે આવ્યુ છે. જો કે ભારતીય નેવીને આ બાબતની જાણ થતા જ તેમણે રેસ્ક્યૂ ઓપરેશન શરુ કર્યુ હતુ અને તાત્કાલિક સ્થળ પરથી બોટમાં સવાર 8 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે. જો કે બાકીના 8 ક્રૂ મેમ્બર્સ વિશે હજુ કોઇ જાણકારી નથી. હજુ 8 ક્રૂ મેમ્બર સમુદ્રમાં બોટ સાથે લાપતા છે.

અરબી સમુદ્રમાં ખરાબ હવામાનના પગલે ઊંચા મોજા ઊછળી રહ્યા હતા અને ભારે પવન ફુંકાવાના પગલે આ દુર્ઘટના બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વનું છે કે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસીસ (INCOIS) દ્વારા 23 જાન્યુઆરી 23:30 કલાક દરમિયાન જખૌથી ગુજરાતના દરિયા કાંઠાના દીવ સુધીના દરિયાકાંઠે 3.0 – 3.5 મીટરની રેન્જમાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઉત્તર અરબી સમુદ્ર અને પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. જેના પગલે માછીમારોને ઉપરોક્ત સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો-

Ahmedabad: કોરોના સંક્રમણના વધતા જોખમને ટાળવા AMCના પ્રયાસો, ઓટો રિક્ષા દ્વારા નિયમોની માહિતી ફેલાવવાનું શરુ

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">