AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે ‘સુરતી લાલા’એ શિખર પર લહેરાવ્યો તિરંગો

સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે 'સુરતી લાલા'એ શિખર પર લહેરાવ્યો તિરંગો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:50 PM
Share

સુરત (Surat)ના પર્વતારોહકે અનોખી સિદ્ધિ મેળવી છે. સુરતમાં રહેતા હરકિશન જીયાણી (Harkisan Jiyani)એ લેહ (Leh)માં આવેલી 6,250 મીટર ઊંચાઈ ધરાવતું યાટ્સે શિખર સર કર્યું છે. વરાછા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની હરકિશન જીયાણીએ લેહમાં આવેલ 6,250 મીટર ઊંચાઈ ધરાવતો માઉન્ટ યાટ્સે પર્વત સર કર્યો છે.

હરકિશન જીયાની તેમના 4 સભ્યોની ટીમ સાથે ગયા હતા. 28 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યે તેમને આ પર્વતારોહણ શરૂ કર્યું હતું. જોકે અધવચ્ચે વાતાવરણ ખરાબ થતાં ટીમના બે સભ્યોની હાલત બગડી હતી અને તેઓને પરત થવી પડ્યું હતું. અચાનક બરફ પડવાથી તેઓને પર્વતારોહણ કરવું મુશ્કેલ બન્યું હતું.

ટીમના બે સભ્યો પાછા જતા રહેવાથી તેઓનો જુસ્સો પણ થોડો ઓછો થયો હતો. જોકે અડગ મનોબળ અને ભગવાનનું નામ લઈને તેઓ આગળ વધતા ગયા. પર્વતનો સ્લોપ પણ હોવાથી તેઓને ધ્યાન રાખીને આગળ વધવું પડ્યું, કારણ કે એક નાની ભૂલ પણ તેમને મોતના મોમાં ધકેલી દે તેવી હતી.

પર્વત પર સીધું ચઢાણ હોવાથી તેઓને થાકનો અનુભવ પણ તેટલો જ થતો હતો. જોકે આ બઘી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓએ પર્વત પર ચડવાનું ચાલુ જ રાખ્યું. સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

હરકિશન જીયાણીએ જણાવ્યું હતું કે પર્વત ચડતી વખતે ઊંચાઈ પર હવા પાતળી થઈ જાય છે. તેના કારણે તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટીને 60 થઈ ગયું હતું. તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. એક સમયે તેમને નક્કી કર્યું હતું કે તેઓ પાછા ફરી જશે પણ સામાન્ય ટ્રીટમેન્ટ લઈને પણ તેઓ આગળ વધતા ગયા અને આખરે આ સફળતા મેળવી હતી. તેમની ટીમે 3 દિવસમાં 45 કિલોમીટરનું ટ્રેકિંગ પુરૂ કરીને બેઝ કેમ્પ પર પાછી ફરી હતી.આમ ખરાબ હવામાનની વચ્ચે પણ તેઓએ હિંમત હારી ન હતી અને અડગ મન રાખીને આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો : Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

આ પણ વાંચો : Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી

Follow Us
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
હત્યાનો ફરાર આરોપી નામ બદલીને છેલ્લા 12 વર્ષથી કરતો હતો અભિનય
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
g clip-path="url(#clip0_868_265)">