Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે ‘સુરતી લાલા’એ શિખર પર લહેરાવ્યો તિરંગો

સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

Surat: બરફના તોફાન અને માઈનસ 15 ડિગ્રી તાપમાન વચ્ચે 'સુરતી લાલા'એ શિખર પર લહેરાવ્યો તિરંગો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:50 PM

સુરત (Surat)ના પર્વતારોહકે અનોખી સિદ્ધિ મેળવી છે. સુરતમાં રહેતા હરકિશન જીયાણી (Harkisan Jiyani)એ લેહ (Leh)માં આવેલી 6,250 મીટર ઊંચાઈ ધરાવતું યાટ્સે શિખર સર કર્યું છે. વરાછા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના વતની હરકિશન જીયાણીએ લેહમાં આવેલ 6,250 મીટર ઊંચાઈ ધરાવતો માઉન્ટ યાટ્સે પર્વત સર કર્યો છે.

હરકિશન જીયાની તેમના 4 સભ્યોની ટીમ સાથે ગયા હતા. 28 ઓગસ્ટના રોજ રાત્રે 10 વાગ્યે તેમને આ પર્વતારોહણ શરૂ કર્યું હતું. જોકે અધવચ્ચે વાતાવરણ ખરાબ થતાં ટીમના બે સભ્યોની હાલત બગડી હતી અને તેઓને પરત થવી પડ્યું હતું. અચાનક બરફ પડવાથી તેઓને પર્વતારોહણ કરવું મુશ્કેલ બન્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ટીમના બે સભ્યો પાછા જતા રહેવાથી તેઓનો જુસ્સો પણ થોડો ઓછો થયો હતો. જોકે અડગ મનોબળ અને ભગવાનનું નામ લઈને તેઓ આગળ વધતા ગયા. પર્વતનો સ્લોપ પણ હોવાથી તેઓને ધ્યાન રાખીને આગળ વધવું પડ્યું, કારણ કે એક નાની ભૂલ પણ તેમને મોતના મોમાં ધકેલી દે તેવી હતી.

પર્વત પર સીધું ચઢાણ હોવાથી તેઓને થાકનો અનુભવ પણ તેટલો જ થતો હતો. જોકે આ બઘી મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓએ પર્વત પર ચડવાનું ચાલુ જ રાખ્યું. સતત 12 કલાક બરફના તોફાન અને 10થી 15 ડિગ્રી તાપમાન વચ્ચે તેઓ આગળ વધતા રહ્યા અને હરકિશન તેમજ પશ્ચિમ બંગાળના ઉદિત હજારેએ સવારે 6 વાગ્યે પર્વતની શિખર પર પહોંચીને ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.

હરકિશન જીયાણીએ જણાવ્યું હતું કે પર્વત ચડતી વખતે ઊંચાઈ પર હવા પાતળી થઈ જાય છે. તેના કારણે તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટીને 60 થઈ ગયું હતું. તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. એક સમયે તેમને નક્કી કર્યું હતું કે તેઓ પાછા ફરી જશે પણ સામાન્ય ટ્રીટમેન્ટ લઈને પણ તેઓ આગળ વધતા ગયા અને આખરે આ સફળતા મેળવી હતી. તેમની ટીમે 3 દિવસમાં 45 કિલોમીટરનું ટ્રેકિંગ પુરૂ કરીને બેઝ કેમ્પ પર પાછી ફરી હતી.આમ ખરાબ હવામાનની વચ્ચે પણ તેઓએ હિંમત હારી ન હતી અને અડગ મન રાખીને આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચો : Surat : હવે ગર્ભવતી મહિલાઓ માટે વોટર બર્થ ડિલિવરીનો વિકલ્પ ઉપલબ્ધ

આ પણ વાંચો : Surat : વહેલી સવારથી પડેલા વરસાદથી સુરત થયું પાણી પાણી

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">