Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી

શેરી મહોલ્લા અને સોસાયટીમાં ગરબા રમાડતા પહેલા લોકોને વેક્સીન માટેની આરતી વગાડવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની અપીલને પગલે ઘણા આયોજકો ગરબા પહેલા વેક્સીન માટેની આ આરતી પણ વગાડી રહ્યા છે.

Surat : ગરબે ઘુમતા પહેલા મહાનગરપાલિકાની આરતી, કહેવુ પડશે કે માડી મેં વેક્સીન લીધી
Surat: Municipal Aarti: Before moving around, I took the vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:24 AM

સુરત મહાનગરપાલિકાએ વેક્સિનને(Vaccine ) લઈને આરતી(aarti ) અભિયાન શરૂ કર્યું છે. અને તેનો વિડીયો ઓડિયો સોશિયલ મીડિયામાં(Social Media ) ફરતો પણ કર્યો છે. જેના શબ્દ છે મેં વેક્સીન લીધી, માડી મેં વેક્સીન લીધી, ગરબે રમતા પહેલા, રાસે ઘુમતા પહેલા, ફરજ પુરી કીધી, માડી મેં વેક્સીન લીધી.

આમ તો સુરત મહાનગરપાલિકાએ વેક્સિનેશન માટે 100 ટકાનો લક્ષ્યાંક ક્યારનો મેળવી લીધો છે. અન્ય મહાનગરપાલિકાને પાછળ મૂકીને વેક્સીન માટે સુરત કોર્પોરેશન અગ્રેસર રહી છે. પરંતુ હજી પણ વેક્સિનનો બીજો ડોઝ લેવામાં ઘણા ખરા લોકો આળસ કરી રહ્યા છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં આયોજકોના સાથ સહકારથી વેક્સિનેશનના અભિયાનને વેગ મળ્યો હતો.

તે જ પ્રમાણે નવરાત્રીમાં પણ વેક્સિનેશનને લઈને અનોખી જાગૃતિ મહાનગરપાલિકા દ્વારા બતાવવામાં આવી રહી છે. શેરી મહોલ્લા અને સોસાયટીમાં ગરબા રમાડતા પહેલા લોકોને વેક્સીન માટેની આરતી વગાડવાનો અનુરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની અપીલને પગલે ઘણા આયોજકો ગરબા પહેલા વેક્સીન માટેની આ આરતી પણ વગાડી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ડોર ટુ ડોર વેક્સીન :  સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ 100 ટકા લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં સુરત મનપા અગ્રેસર રહી છે. હવે શહેરની જે સોસાયટીઓમાં 15 કે તેથી વધુ લોકોને વેક્સીન આપવાની હોય તેવી સોસાયટીઓમાં સર્વે કરીને મનપા દ્વારા વેક્સિનેશનની સગવડતા કરી આપવામાં આવી રહી છે. ટૂંક સમયમાં મનપા દ્વારા સ્પેશ્યલ નંબર પણ જાહેર કરશે. આ નંબર પર કોલ કરતા જ મનપાની ટિમ વેક્સિનેશન માટે આવી પહોંચશે.

બીજો ડોઝ લીધો ન હોય તેમના માટે જાહેર સ્થળો પર પ્રતિબંધ : જાહેર સ્થળોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે કે એક ડોઝ લીધો છે તે જાણી શકાય તે માટે સ્કેનિંગ મશીન મુકવાની પણ વિચારણા ચાલી રહી છે. અને જેઓને વેક્સિનનો એક ડોઝ લીધા બાદ 84 દિવસ કરતા વધુ સમય થઇ ગયો હોય છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો ન હોય તેવા લોકોને જાહેર સ્થળો જેવા કે મોલ, થિયેટર, શોપિંગ કોમ્પ્લેક્ષમાં એન્ટ્રી રિસ્ટ્રિક્ટ કરશે, તે પ્રકારના પગલાં લેવામાં આવે તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શહેરીજનો ઝડપથી વેક્સિનનો બીજો ડોઝ પણ લઇ લે.

આ પણ વાંચો : Surat : પીએમ મોદીની સુરતીઓને ખાસ અપીલ, આ દિવાળી વોકલ ફોર લોકલને બનાવો જીવન મંત્ર

આ પણ વાંચો : Surat : માંડવીમાં બસોની અનિયમિતતા મામલે બસ રોકો આંદોલન, ધારાસભ્ય સહિત આગોવાનોની અટકાયત

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">