Surat: કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે 90 હજાર શહેરીજનો લાપરવાહ

સુરત મહાનગરપાલિકા દ્વારા હવે વેક્સિનેશન પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેમનો બીજો ડોઝ બાકી છે તે લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરાયું છે.

Surat: કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે 90 હજાર શહેરીજનો લાપરવાહ
Surat: 90 thousand citizens careless for second dose of corona vaccine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 9:51 PM

કોરોના (Corona Virus)ની બે ઘાતકી લહેરો બાદ હવે આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર(third wave) આવવાની પણ શક્યતા સેવાઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) હવે વેક્સિનેશનની કામગીરી પર વધુ ધ્યાન આપી રહી છે. હાલમાં દરરોજ 50 હજાર કરતા પણ વધુ નાગરિકોને વેક્સિનના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના 80 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જોકે બીજા ડોઝની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ નાગરિકોની આળસના કારણે બીજા ડોઝની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે. હાલમાં 90 હજાર કરતા વધુ લોકોની બીજા ડોઝની તારીખ નીકળી ગઈ હોવા છતાં તેઓએ વેક્સીન મુકાવી નથી. જેથી હવે સુરત મનપા દ્વારા નોક ધ ડોર (knock the door ) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા નોક ધ ડોર અભિયાનમાં જે લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. પરંતુ બીજા ડોઝની તારીખ નીકળી ગઈ હોવા છતાં વેક્સીન મુકાવી નથી. જેથી તે નાગરિકોના ઘરે ઘરે જઈ બીજો ડોઝ મુકાવવા માટે સમજણ આપવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં 26.85 લાખ લોકોને પહેલો ડોઝ આપી દીધો છે. પરંતુ સુરતમાં 90 હજારથી પણ વધુ લોકો એવા છે જેઓએ પહેલો ડોઝ લીધાને 84 દિવસ કરતા પણ વધુ સમય થઈ ગયો છે. તેવા લોકોને શોધી શોધીને પાલિકા બીજા ડોઝ અપાવશે.

સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં 33.53 લાખ લોકો 18 વર્ષથી મોટી ઉંમરના છે. જે પૈકી 26.85 લાખ લોકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. પાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ પાલિકાએ નોક ધ ડોર અભિયાન શરૂ કર્યું છે. બીજો ડોઝ લેવા માટે જે લોકોનો સમય થઈ ગયો છે તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેઓને ફોન કરીને બીજા ડોઝ માટે જણાવવામાં આવે છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકાએ માઈક્રો મેનેજમેન્ટ કરીને કોરોના વાઈરસ પર કાબુ મેળવ્યો છે. ત્યારે હવે પાલિકાનો ટાર્ગેટ મહત્તમ લોકોને રસી આપવાનો છે. ખાસ કરીને આવનારા દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ જેવા તહેવારો આવી રહ્યા હોય પાલિકા દ્વારા એનજીઓ અને અન્ય સંસ્થાઓની મદદથી આ કામગીરીની વધુ વેગ અપાશે.

આ પણ વાંચો : Surat : સુરત સહીત રાજ્યના બે એરપોર્ટનું થશે ખાનગીકરણ, સુવિધામાં થશે વધારો

આ પણ વાંચો : Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">