Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ

સરકારે જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાને પરવાનગી આપી છે. પણ તેમાં મટકી ફોડ પર મનાઈ ફરમાવતા અનેક ગોવિંદા મંડળો નિરાશ થાય છે. તેઓ દ્વારા મટકી ફોડની તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી.

Surat : દહીં હાંડી મહોત્સવને પરવાનગી ન મળતા સુરતના ગોવિંદા મંડળો નિરાશ
Surat - Govinda Mandals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 10:03 AM

રાજ્ય સરકારે જન્માષ્ટમી અને ગણપતિ ઉત્સવને લઈને ગાઇડલાઇન જાહેર કરી છે અને આ વર્ષે પણ કોરોનાને કારણે દહીં હાંડી ફોડવા પર રોક લગાવી દેવામાં આવી છે. આ વાતને લઈને શહેરમાં 4 હજાર જેટલી દહીં હાંડી ફોડવાની તૈયારી કરી રહેલા ગોવિંદા મંડળમાં નિરાશા વ્યાપી ગઈ છે. તેના માટે તેઓ ગોવિંદા રિહર્સલ પણ કરતા હતા. ગોવિદા ઉત્સવ સમિતિ દ્વારા પોતાની ગાઇડલાઇન પણ તૈયાર કરી દીધી હતી.

જન્માષ્ટમીનો તહેવાર 30 ઓગસ્ટ છે. પરંતુ પાછળ વર્ષની જેમ આ વર્ષે પણ આ તહેવારનો રંગ ફિક્કો રહેશે. શહેરમાં પહેલા જન્માષ્ટમીના પર્વ પર 15 હજાર કરતા પણ વધારે મટકીઓ ફોડવામાં આવતી હતી. જેમાં 128 જેટલા ગોવિંદા મંડળો ભાગ લેતા હતા. કોરોનાના કારણે પાછલા વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો ન હતો. જોકે આ વર્ષે ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મિટિંગ કરીને ઉત્સવ મનાવવાની ગાઇડલાઇન પણ નક્કી કરી હતી.

ગાઇડલાઇન પ્રમાણે દરેક ગોવિંદા મંડળો પોતાના વિસ્તારમાં જન્માષ્ટમી ઉજવી શકે તેમ હતું. ગોવિંદા મંડળના સભ્યનું કહેવું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વને ઉજવવામાં નહીં આવે. ગુજરાતમાં 7 થર સુધી હાંડી લગાવવામાં આવતી હતી. આ વખતે તેઓએ ત્રણ થરની તૈયારી શરૂ કરી દીધી હતી. જોકે સરકારે તેના પર રોક લગાવી દીધી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોરોનાના કારણે જન્માષ્ટમી સાથે જોડાયેલા સાતથી આઠ જેટલા મંડળો આ વર્ષે દહીં હાંડીના મહોત્સવમાં ભાગ લેવા માટે સામેથી જ ના પાડી દીધી હતી. શહેરમાં કુલ 128 ગોવિંદા મંડળ છે. દર વર્ષે સુરતમાં 16 હજારથી 17 હજાર જેટલી માટલીઓ ફોડવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની ત્રીજી લહેરની આશંકા, પરિવારની ચિંતા અને આર્થિક તંગી જેવા કારણોથી ગોવિંદા મંડળોએ પીછે હઠ કરી છે. આ ઉપરાંત બીજા વિસ્તારમાં દહીં હાંડી ફોડવા પર મનાઈ કરવામાં આવી હતી. આ પણ એક કારણ છે કે ગોવિંદા મંડળોએ તૈયારી નથી બતાવી.

જોકે બધાની માટલીઓ ફોડવા માટે ગોવિંદા મંડળો છેલ્લા એક મહિનાથી તૈયારી કરી રહ્યા હતા. પહેલા એક મંડળમાં 400 થી 500 ગોવિંદાઓ હતા. પરંતુ હવે આ વખતે ફક્ત 100 સભ્યો જ આવી રહ્યા છે. બાળકોની સલામતી, સુખ શાંતિ માટે લોકો દહીં હાંડીને ફોડવાને એક બાધા મને છે. આખા સુરતમાં આ બાધાની માટલીઓ ફોડવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. ગોવિંદના પગલાં ઘરમાં પડવાને શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હવે ડિફેન્સ સ્ટડીઝનો અભ્યાસક્રમ શરૂ કરશે

આ પણ વાંચો:  Surat: આ તે કેવું ફરમાન? હવે ભાજપના હારેલા ઉમેદવારોની સહીથી વિકાસના કામો થશે ?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">