ગોંડલથી પાવાગઢ જતી એસટીબસ ગરનાળામાં ફસાઈ, સ્થાનીકોએ મુસાફરોને બહાર કાઢ્યા
ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને […]
ગોંડલથી રાજકોટ વડોદરા થઈને પાવાગઢ જતી એસટી બસ ઉમરાળા અન્ડરબ્રિજમાં વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ ભારે જહેમત બાદ બસના મુસાફરોને બચાવીને બહાર કાઢ્યા હતા. રાજકોટ અને ગોંડલની આસપાસ વરસેલા વરસાદને પગલે, વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઈ ગયુ હતું. વરસાદી પાણીમાં ફસાયેલ એસટી બસમાંથી 40 મુસાફરોને સ્થાનિકોએ જીવના જોખમે બસની બહાર કાઢ્યા હતા. જો કે તંત્રને જાણ થતા જ જેસીબી મશીન સાથે ઉમરાળા અન્ડરબ્રિજ ખાતે પહોચ્યા હતા અને જેસીબીની મદદથી બસને પણ બહાર કાઢવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો