AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાના કેસમાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે અને 25 નવા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે.

Gujarat માં કોરોનાના કેસમાં નજીવો વધારો, છેલ્લા 24 કલાકમાં 25 કેસ નોંધાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:31 PM
Share

ગુજરાત(Gujarat) માં કોરોના(Corona) નું સંકટ ટળ્યું નથી. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે અને 25 નવા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે. જેમાં વેન્ટિલેટર પર માત્ર 6 દર્દીઓ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થયા છે. જેની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ પર પહોંચી છે. રાજયમાં સાજા થવાનો દર 98.75 પર સ્થિર થયો છે.રાજ્યનો કુલ મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર થયો છે. જેમાં રાજ્યના કુલ 25 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના શૂન્યમાં કેસ નોંધાયા છે. જયારે સુરતમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદમાં 4, વડોદરા અને રાજકોટમાં 3-3 કેસ નોંધાયા.જ્યારે અમરેલી અને ખેડામાં પણ નવા 3-3 કેસ સામે આવ્યા.

રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ રસીકરણ સુરતમાં 45 હજાર 872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36 હજાર 638 લોકોને જ રસી મળી.વડોદરામાં 16 હજાર 588 અને રાજકોટમાં 16 હજાર 864 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 65 લાખ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

જ્યારે  ગુજરાતને અડીને આવેલા દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે, તેમજ એક દર્દી કોરોનાથી રિકવર થયો છે. જેની સાથે કોરોનાના કુલ કેસ 10,625 થયા છે. જ્યારે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 10,613 થઈ છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં અત્યાર સુધીમાં ચાર મૃત્યુ થયા છે અને સક્રિય કેસની સંખ્યા આઠ છે.

આ પણ વાંચો :  જાણો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ Neeraj Chopraનો હવે પછીનો ટારગેટ શું છે ?

આ  પણ વાંચો :  માતા સીતાના રોલમાં જોવા મળશે આ અભિનેત્રીઓ, શું Dipika Chikhlia ની જેમ છવાઈ જશે લોકોના દિલમાં?

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">